1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અમેરિકા: ટેકઓફ થયા બાદ હેલિકોપ્ટર થયું ક્રેશ, 3 વ્યક્તિ ઘાયલ

લોસ એન્જલસના હંટીંગ્ટન બીચ પર શનિવારે બપોરે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા, જેમાં બે સવાર અને ત્રણ રસ્તા પરના લોકો હતા. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, હંટીંગ્ટન બીચ પોલીસ વિભાગ અને હંટીંગ્ટન બીચ ફાયર […]

ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો કાર્યકાળ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ ગોર સાથે મુલાકાત કરી અને ભારત-અમેરિકા સંબંધોના વૈશ્વિક મહત્વ અંગે ચર્ચા કરી. ડૉ. જયશંકરે ગોરને તેમના […]

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળાઓને પ્રવેશ અને પરીક્ષા ફી માટે ડિજિટલ પેમેન્ટ UPI અપનાવવા અનુરોધ કર્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળાઓને પ્રવેશ અને પરીક્ષા ફી માટે ઓનલાઈન UPI અપનાવવા વિનંતી કરી છે. જેનો હેતુ વહીવટી પ્રક્રિયાઓને આધુનિક બનાવવાનો છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને NCERT, CBSE, KVS અને NVS જેવી સ્વાયત્ત સંસ્થાઓને શાળાઓમાં નાણાકીય વ્યવહારોને સુવ્યવસ્થિત કરવા માટે UPI અપનાવવા ભાર મૂક્યો છે.આ પગલું […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ગઈકાલે રાત્રે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ શરૂ થઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ તાલિબાને પાકિસ્તાની લશ્કરી ચોકી પર હુમલો કર્યો હતો. વરિષ્ઠ તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ તાલિબાન સુરક્ષા દળોએ પાકિસ્તાની સૈનિકો પર સશસ્ત્ર કાર્યવાહી માટે હુમલા શરૂ કર્યા હતા. […]

વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવું એ આજે આપણી ટોચની પ્રાથમિકતા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 61 માં પદવી દાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વદેશી અને આત્મનિર્ભરતામાં ગુજરાત વિદ્યાપીઠની ભૂમિકા બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને આત્મ નિર્ભરતાના સંવાહક ગણાવ્યા હતાં. તેમણે વિદ્યાર્થીઓને બાહ્ય પરિસ્થિતિથી હતાશ ન થઈ હિંમત રાખી ઉચ્ચ આદર્શ સાથે અને વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે આગળ વધવા હાકલ કરી હતી. મુર્મૂએ ગુજરાતના ઉદ્યમીઓને દેશમાં જ નહીં પરંતુ […]

જમ્મુ-કાશ્મીરમાં 60 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા, સરહદ પાર લોન્ચ પેડ પર 100 આતંકવાદીઓ હાજર

જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં લગભગ 60 આતંકવાદીઓ છુપાયેલા છે. બીજા 100 થી 120 આતંકવાદીઓ પાકિસ્તાનમાં લોન્ચ પેડ્સ પર છુપાયેલા હોવાનું માનવામાં આવે છે. આ આતંકવાદીઓ શિયાળા દરમિયાન ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, આગામી બે થી ત્રણ મહિના ભારતીય સુરક્ષા દળો માટે પડકારજનક હોઈ શકે છે. ખીણમાં હાજર આતંકવાદીઓ વિશે વાત કરીએ […]

સિંધુ જળ સંધિ તૂટી ગયા પછી, ભારતે સાવલકોટ પ્રોજેક્ટને મંજૂરી આપી

પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા પછી, એક મોટા નિર્ણયમાં, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર લાંબા સમયથી પડતર સાવલકોટ જળવિદ્યુત પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપી છે. “નદી ખીણ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ માટે નિષ્ણાત પર્યાવરણીય મૂલ્યાંકન સમિતિ (EAC) ની 40મી બેઠક 26 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી અને ગુરુવારે […]

અમેરિકા-ચીન ટ્રેડ વોર ફરી શરૂ થયું, ટ્રમ્પે ડ્રેગન પર 100% ટેરિફ લાદ્યો

અમેરિકન ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ દુર્લભ ખનિજોના નિકાસ પર ચીન દ્વારા પ્રતિબંધ મૂક્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પે આને ચીનનું આક્રમણ ગણાવતા હવે ચીની ઉત્પાદનો પર વધુ ટેરિફની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે 1 નવેમ્બર, 2025 થી, યુએસ ચીનથી આયાત થતા તમામ ઉત્પાદનો પર વધારાનો 100% ટેરિફ લાદશે. આ ટેરિફ […]

અનિલ અંબાણીના રિલાયન્સ પાવરના અધિકારીની ED દ્વારા ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ (અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ) ના એક ઉચ્ચ અધિકારીની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. રિલાયન્સ પાવરના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અશોક પાલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમો હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા, સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ED […]

ધન ધન્ય કૃષિ યોજના અને કઠોળ સ્વ-નિર્ભરતા મિશન ખેડૂતોના ભવિષ્યને બદલી નાખશે: PM મોદી

નવી દિલ્હી: ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે એક ખાસ કૃષિ કાર્યક્રમમાં ખેડૂતો માટે બે નવી યોજનાઓ, “પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના” અને “કઠોળ સ્વ-નિર્ભરતા મિશન” લોન્ચ કરતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ બે યોજનાઓ ભારતના ખેડૂતોનું ભાગ્ય બદલી નાખશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર આ યોજનાઓ પર રુ. 35,000 કરોડથી વધુ ખર્ચ કરવાની યોજના બનાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code