હરણી તળાવ દુર્ઘટના કેસની તપાસ માટે SIT ની રચના કરાઈ, 3ની અટકાયત
અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને સમગ્ર મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા બોટીંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના 18 જેટલા ભાગીદારો સામે બેદરકારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની અટકાયત કરીને આગવીઢબે પૂછપરછ આરંભી છે. દરમિયાન સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની […]