1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

જાફરાબાદના દરિયામાંથી ગુમ થયેલામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો

જાફરાબાદના અરબી સમુદ્રમાં ત્રણ બોટએ જળ સમાધિ લીધી હતી, બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા, હજુ 8 માછીમારો લાપત્તા છે અમરેલીઃ થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક એમ ત્રણ બોટએ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. ત્રણેય બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા. જેમાંથી બે માછીમારો મૃતદેહો મળી આવ્યા હતા. […]

મુખ્યમંત્રીએ નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-2025ના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો

રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલા ખેલાડીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસુઃ મુખ્યમંત્રી, અમદાવાદ કોમનવેલ્થ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો. […]

બનાસકાંઠાના દીયોદરમાં યુવક અને મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં પડી આપઘાત કર્યો

નર્મદા કેનાલમાંથી તરવૈયાએ ચારેયના ડેડબોડી બહાર કાઢ્યા, પ્રેમ સંબધને લીધે સામુહિક આપઘાત કર્યાની શંકા, યુવક મસાલી ગામનો અને મહિલા સાંતલપુરના બૂરેઠા ગામની વતની છે પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદર નજીક નર્મદા કેનાલમાં પડીને યુવક અને મહિલાએ બે બાળકોએ સામુહિક આપઘાત કરતા ચારેયનાં મોત થયાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠા જિલ્લાના […]

બિટકોઈન કૌભાંડ કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 લોકોને આજીવન કેદની સજા

બિટકોઈન કૌભાંડ કેસમાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા, અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ, પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ અને અન્ય 14 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે આ બધાને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ 2018 ના […]

નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાંને લીધે કચ્છના ટ્રાન્સપોર્ટરો 10મીએ હડતાળ પાડશે

નો રોડ – નો ટોલના નારા સાથે હડતાળનું એલાન કરાયું, કચ્છમાં હાઈવે પર ચાર સ્થળોએ ટોલ લેવાય છે, પરંતુ રોડની હાલત બિસ્માર છે, ગાંધીધામમાં તમામ ટ્રાન્સપોર્ટર સંગઠનોની બેઠકમાં સંયુક્ત નિર્ણય લેવાયો ભૂજઃ કચ્છમાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડ્યા છે. ખાડાંઓને લીધે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. અને વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે. […]

ભૂજમાં સોશિયલ મીડિયામાં બ્લોક કરવાના મુદ્દે પાડોશી યુવાને કોલેજિયન યુવતીની હત્યા કરી

કોલેજિયન યુવતીને બચાવવા વચ્ચે પડેલા યુવાનને ગંભીર ઈજા, કોલેજથી હોસ્ટેલ જવા નીકળેલી યુવતીનું છરી વડે ગળુ કાપ્યુ, ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી ભુજઃ શહેરમાં સંસ્કાર કોલેજમાં ભણતી એક વિદ્યાર્થિની કોલેજથી હોસ્ટેલ તરફ જતી હતી ત્યારે બાઈક પર આવેલા યુવાને છરીથી હુલો કરીને યુવતીનું ગળુ કાપી નાંખતા ગંભીરરીતે ઈજાગ્રસ્ત બની હતી. […]

દાંતાના મંડારાવાસ ગામના લોકોએ ફાળો ઉઘરાવીને નદી પર નાનો બ્રિજ બનાવી દીધો

ગ્રામજનોએ સરકારને અનેકવાર રજુઆત કરી છતાંયે બ્રિજ ન બનાવ્યો, અપના હાથ જગન્નાથનું સૂત્ર અપનાવીને ગ્રામજનોએ શ્રમદાન પણ કર્યું, કીડી મકોડી નદીમાં પાણીને લીધે 200 બાળકો શાળાએ જઈ શકતા નહતા પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડારાવાસ અને બોરડીયાળા ગામ વચ્ચે આવેલી કીડી મકોડી નદી પર બ્રિજ ન હોવાને લીધે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હતી, આ અંગે ગ્રામજનોએ […]

તરણેતરનો મેળો માણીને બાઈક પર પરત ફરતા કાકા-ભત્રીજાનું કન્ટેનરની અડફેટે મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે અકસ્માત સર્જાયો, અકસ્માત બાદ કન્ટેનરચાલક નાસી ગયો, પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી મોરબીઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોવા બનાવો વધતા જાય છે. ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. તરણેતરના મેળાની મોજ માણીને બાઈક પર પરત ફરી રહેલા કાકા-ભત્રીજાનું કન્ટેનર ટ્રેલરની અડફેટે મોત નિપજ્યું […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ B.Sc સેમેસ્ટર 3 અને 4નું પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓનો હોબાળો

પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અટકી, વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી વિરોધ કર્યો, સેમેસ્ટર 4ની પરીક્ષા એપ્રિલ 2025માં લેવાઈ છતાં રિઝલ્ટ હજુ જાહેર કરાયુ નથી, રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા એપ્રિલ મહિનામાં લેવાયેલી B.Scની સેમેસ્ટર 3 અને 4નું પરિણામ 7 મહિના બાદ પણ જાહેર ન થતાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કુલપતિ ડો. ઉત્પલ જોશી ગેરહાજર […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સહિત 10 ટ્રેનોની ઝડપ 160 કિમીની કરાશે

અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રિમિયમ ટ્રેનો 130ની ઝડપે દોડી રહી છે, અકસ્માત ન થાય તે માટે કવચ સિસ્ટમ લગાવાઈ, ટ્રેક પર કર્વ ઘટાડવાની સાથે અપગ્રેડેડ ઈલેક્ટ્રિફિકેશન કરી આધુનિક સિગ્નલ સિસ્ટમ લગાવાઈ અમદાવાદઃ ટ્રેનોમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે સૌથી વધુ પ્રવાસી ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે પ્રવાસીઓ ગંતવ્ય સ્થાને વહેલા પહોંચી શકે તે માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી 10 જેટલી પ્રમિયમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code