1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઋષિમુનિઓએ આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનિય કામ કર્યું છેઃ રાજ્યપાલ

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29 મો ૫દવીદાન સમારોહ યોજાયો 1841 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત,   એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદ રોગોનો જડમૂળથી નાશ કરે   જામનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા  ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29 મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેમેસ્ટર-2ની પરીક્ષાનો પ્રારંભ

વિવિધ ફેકલ્ટીના એક લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ત્રણ સેશનમાં પરીક્ષા લેવાઈ રહી છે ગેરરીતિ અટકાવવા 5 ફ્લાઈંગ સ્કવોર્ડ તૈનાત પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો ત્રીજો તબક્કાનો પ્રારંભ થયો છે. સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-2ની 46 પરીક્ષાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લામાં પરીક્ષાઓ ત્રણ સેશનમાં યોજાઈ રહી છે. સવારે 8થી […]

વડોદરામાં સમતા વિસ્તારમાં 35 વર્ષ જુનો સૂર્યકિરણ ફ્લેટ્સ ધરાશાયી

ગત રાતે ફ્લેટ્સ હલવા લાગતા રહિશો દોડીને બહાર નિકળી ગયા ફાયર વિભાગની 11 ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવી દૂર્ઘટનામાં કોઈ મૃત્યુ થયુ છે કે કેમ તે જાણી ન શકાયું વડોદરાઃ  શહેરના સમતા વિસ્તારમાં ગઈ રાતે સૂર્યકિરણ ફ્લેટ્સ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. જોકે આ બનાવમાં ફ્લેટ્સના રહિશોને બિલ્ડિંગ હલી રહ્યું હોય એવું […]

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા , ‘પત્નીએ મરચાનો પાવડર છાંટીને બાંધી દીધા બાદ છરીથી હત્યા કરી’

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશના મૃત્યુના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તે 20 એપ્રિલના રોજ બેંગલુરુમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રોના અનુસાર, બપોરે તેમનો પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન, તેની પત્નીએ તેના પર મરચાંનો પાવડર ફેંક્યો, તેને બાંધી દીધો અને પછી છરીના ઘા મારીને હત્યા કરી દીધી. 68 વર્ષીય […]

સિદ્ધપુરના મક્તપુર નજીક હાઈવે પર લકઝરી બસ ટ્રેલર પાછળ ઘૂંસી જતાં બેના મોત

ખાનગી ટ્રાવેલ્સની બસ રાજસ્થાનથી સુરત જઈ રહી હતી અકસ્માતમાં 17 પ્રવાસીઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા લકઝરી બસ પૂર ઝડપે ટ્રેલર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો મહેસાણાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગત મેડી રાતે સિદ્ધપુરના મુક્તુપુર નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. […]

સુરતના લિંબાયત વિસ્તારમાં ઝાડા-ઊલટીનો વાવર, ડાયરિયાથી એકનું મોત

લિંબાયત વિસ્તારના મહારાણા પ્રતાપનગરમાં ડાયરિયાના 38 કેસ નોંધાયા મ્યુનિ.ની આરોગ્ય વિભાગની ટીમે ઘેર-ઘેર ફરીને સર્વે હાથ ધર્યો દૂષિત પાણીની ફરિયાદો ઉઠતા પાણીના સેમ્પલ લેવાયા સુરતઃ શહેરમાં અસહ્ય ગરમીને લીધે વાયરલ બિમારીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના લિંબાયત ઝોનમાં આવેલા મહારાણા પ્રતાપ નગરમાં છેલ્લા દસ દિવસમાં 38 થી વધુ ડાયરિયાના કેસ થતા મ્યુનિનું આરોગ્ય વિભાગ […]

વડોદરામાં મોડીફાઈડ કરેલા બાઈકના સાયલેન્સર જપ્ત કરાયા બાદ બુલડોઝર ફેરવી દેવાયું

વધારે અવાજ કરતા બુલેટના મોડીફાઈડ કરેલા સાયલેન્સરો જપ્ત કરાયા હતા 108થી વધુ સાયલેન્સરનો કોર્ટની મંજુરી બાદ નાશ કરાયો વધુ અવાજ કરતા મોડીફાઈડ સાયલન્સર લગાવી શકાતા નથી વડોદરાઃ શહેરમાં બુલેટ સહિત બાઈકમાં વધુ અવાજવાળા સાયલેન્સરો કેટલાક ચાલકો મોડીફાઈડ કરાવતા હોય છે. કંપનીએ બુલેટમાં લગાવેલા સાયલન્સરની બદલે વધુ અવાજવાળા સાયલન્સર મોડીફાઈડ કરાવવા તે કાયદાની વિરોધમાં છે. પોલીસ […]

સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ઘૂમ્મ્સ છવાયું

ઉત્તર-પશ્વિમના ભેજવાળા પવનો ફુંકાયા દિવસ દરમિયાન ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાયો બે દિવસ તાપમાનમાં આંશિક ઘટાડાની શક્યતા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચ્યા બાદ વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. રાજકોટ સહિત અનેક સ્થળોએ આજે સવારે ગાઢ ધૂમ્મસ છવાયું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. ભર ઉનાળામાં ધૂમ્મસ છવાતા સવારે આહલાદક […]

સુરેન્દ્રનગરમાં અસહ્ય તાપમાનને લીધે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો

સવારે 9થી 1 અને સાંજે 4થી 6 કચેરીઓ ચાલુ રહેશે આગામી 15મી જુન સુધી ફેરફાર કરાયા મુજબ કચેરીઓમાં કામકાજ કરાશે મુલાકાતીઓ માટે પણ પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આ વખતે હીટવેવને કારણે તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લોમાં સૌથી વધુ તાપમાન નોંધાય રહ્યું છે. ત્યારે સરકારી કચેરીઓમાં અસહ્ય […]

પાટનગર ગાંધીનગરમાં દબાણો હટાવવા મેગા ઝૂંબેશ હાથ ધરાશે

શહેરના તમામ સેક્ટર અને નવા ભળેલા વિસ્તારોમાં દબાણો દુર કરાશે 1400 જેટલા ઝૂપડા અને લારી-ગલ્લા સહિત યાદી તૈયાર કરાઈ પાટનગર યોજના વિભાગની 30 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે મેગા ઓપરેશન કરશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં 30 જેટલા સેક્ટર તેમજ મ્યુનિમાં ભળેલા વિસ્તારોમાં અનેક ગેરકાયદે દબાણો થયેલા છે. પાટનગર યોજના વિભાગ અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણોની યાદી તૈયાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code