1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઔરંગઝેબની પ્રશંસા કરનારા દેશદ્રોહી છેઃ એકનાથ શિંદે

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે જે લોકો હજી પણ ઔરંગઝેબની પ્રશંસા કરે છે, તે દેશદ્રોહી છે. તેમણે કહ્યું કે ઔરંગઝેબએ રાજ્ય પર કબજો કરવાની કોશિશ કરી હતી અને ઘણા અત્યાચાર કર્યા હતા. બીજી તરફ મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ એક “દૈવી શક્તિ” હતા, જે વિરતા, બલિદાન અને હિંન્દુત્વની ભાવનાનું પ્રતીક હતા. શિંદેએ શિવ જયંતીના […]

ન્યૂઝીલેન્ડની સામેની ટી20 સિરીઝમાં પાકિસ્તાનની સતત બીજી હાર

ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને T20 સીરીજની બીજી મેચમાં 5 વિકેટથી હરાવ્યું હતુ. પાકિસ્તાનની આ લગાતાર બીજી હાર છે. ન્યૂઝીલેન્ડ આ સીરીજની પ્રથમ મેચમાં પણ હરાવ્યું હતુ. ટિમ સીફર્ટને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 45 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. સીફર્ટએ શાહીન અફ્રિદીની એક ઓવરમાં ચાર સિક્સર ફટકારી હતી. તેની સાથે સાથે ફિન એલનએ […]

પાકિસ્તાનમાં સેના ઉપર હુમલા વધતા જવાનોમાં ડરનો માહોલ, 2500 જવાનોએ નોકરી છોડી

લાહોરઃ પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં સેના અને સુરક્ષા દળો ઉપર છેલ્લા કેટલાક સમયથી હુમલાઓ વધ્યા છે. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં સેનાના જવાનો પણ મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન, એવું સામે આવ્યું છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના સૈનિકો પોતાની નોકરી છોડીને દેશ છોડીને ભાગી રહ્યા છે. કાબુલ ફ્રન્ટલાઈને દાવો કર્યો હતો કે એક અઠવાડિયામાં […]

મનરેગા મામલે સોનિયા ગાંધીએ કેન્દ્રની એનડીએ સરકાર ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે NDAની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ને વ્યવસ્થિત રીતે નબળું પાડવાનો આરોપ લગાવ્યો અને કાયદા હેઠળ લઘુત્તમ વેતન અને કાર્યકારી દિવસોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી હતી. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા, સોનિયા ગાંધીએ માંગ કરી હતી કે […]

અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે પૃથ્વી પર પાછા ફરશે

નવી દિલ્હીઃ ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરવાના છે. તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં અસામાન્ય રીતે લાંબા સમય સુધી રહ્યા પછી પરત ફરી રહ્યા છે. નાસાના જણાવ્યા અનુસાર, સુનિતા વિલિયમ્સ અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને જતું અવકાશયાન થોડા કલાકોમાં ISS થી અલગ થઈ જશે અને મંગળવારે સાંજે 5:57 વાગ્યે […]

ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, જો બિડેનના બાળકોની સુરક્ષા હટાવી

વોશિંગ્ટનઃ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ડેમોક્રેટ જો બિડેનના પુખ્ત બાળકોને આપવામાં આવતી ગુપ્ત સેવા સુરક્ષા “તાત્કાલિક” સમાપ્ત કરી રહ્યા છે, જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ જાન્યુઆરીમાં પદ છોડતા પહેલા જુલાઈ સુધી લંબાવી હતી. રિપબ્લિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર એવા અહેવાલો સામે વાંધો ઉઠાવ્યો હતો કે આ અઠવાડિયે જ્યારે હન્ટર બિડેન દક્ષિણ આફ્રિકામાં હતા […]

શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ, સેન્સેક્સ 75 હજાર પોઈન્ટને પાર

મુંબઈઃ આજે શરૂઆતના કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજના કારોબારની શરૂઆત પણ મજબૂતાઈ સાથે થઈ. આજના વધારાને કારણે સેન્સેક્સ 75 હજાર પોઈન્ટની સપાટી પાર કરવામાં સફળ રહ્યો. ટ્રેડિંગના પહેલા કલાક પછી સેન્સેક્સ 1.10 ટકા અને નિફ્ટી 1.01 ટકા વધ્યો હતો. શરૂઆતના કલાકના ટ્રેડિંગ પછી, શેરબજારમાં હેવીવેઇટ્સમાં, ICICI બેંક, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઇનાન્સ, […]

IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ મુખ્યમંત્રી યોગીને મળી, મુખ્યમંત્રીએ જર્સીનું અનાવરણ કર્યું

લખનૌઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની રોમાંચક મેચો પહેલા, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમે માલિક સંજીવ ગોએન્કા અને કેપ્ટન ઋષભ પંત સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૌજન્ય મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ટીમના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને આગામી IPL સીઝનમાં ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી. સીએમ યોગીએ જણાવ્યું […]

મહાકુંભના રૂપમાં સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યાં : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં પીએમ મોદીએ મહાકુંભના આયોજન પર વાત કરી હતી. તેમજ તેમણે આ કાર્યક્રમમાં યોગદાન આપનારાઓનો આભાર માન્યો હતો. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર ભાષણ આપવા આવ્યો છું. આજે ગૃહ દ્વારા, હું દેશવાસીઓને નમન કરું છું જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ યોગદાન આપ્યું […]

નાગપુર હિંસા સુનિયોજિત હતી અને દોષિયોને છોડવામાં નહીં આવેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ નાગપુરમાં હિંસાને લઈને સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર હિંસાને લઈને વિધાનસભામાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના સુનિયોજિત હતી. તેમજ પોલીસ અધિકારી-કર્મચારીઓ ઉપર હુમલા સહન કરી લેવામાં આવશે નહીં. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. નાગપુર હિંસાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ જણાવ્યું હતું કે, એવુ લાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code