1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શૈક્ષણિક કેલેન્ડરઃ ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષા 26 ફેબુઆરી 2026થી લેવાશે

16 ઓક્ટોબરથી 05 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન 06 નવેમ્બરથી શાળાઓમાં બીજું સત્ર શરૂ થશે ધોરણ 9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી લેવાશે. ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-2026 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ 26મી ફેબ્રુઆરી […]

વડોદરામાં મ્યુનિ.એ બ્રિજ નીચે એક કરોડના ખર્ચે બનાવેલો ગેમ ઝોન ક્યારે શરૂ કરાશે ?

પ્રજાના ટેક્સના પૈસે બનાવેલો ગેમ ઝોન ધૂળ ખાય છે માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનો હોવાથી શરૂ કરાયો નથી બ્રિજ નીચે ભરચક ટ્રાફિક રહેતો હોવાથી બાળકો ગેમ ઝોનમાં પહોંચી શકશે વડોદરાઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો પ્રજાના ટેક્સના પૈસા વેડફવામાં કોઈ કમી રાખતા નથી. ત્યારે શહેરના એક ઓવરબ્રિજ નીચે રૂપિયા એક કરોડના ખર્ચે બાળકો માટે ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે. […]

સુરતમાં પણ અન્ય રાજ્યોના હથિયારોના લાયસન્સનું કૌભાંડ, 51 હથિયારો ઈસ્યુ કરાયા

અમદાવાદની જેમ સુરતમાંથી પણ પર રાજ્યોના બંદૂકના લાયસન્સનું કૌભાંડ ગન હાઉસમાંથી બોગસ લાયસન્સના આધારે કુલ 51 હથિયારો ઈશ્યુ કરાયા માત્ર 10 લાખમાં આલ ઈન્ડયા પરમિટનું લાયસન્સ મળી જતું હતુ સુરતઃ રાજ્યમાં અમદાવાદ, સુરત સુરેન્દ્રનગર સહિત શહેરોમાંથી કેટલાક લોકોએ મિઝોરમ, નાગાલેન્ડ, કાશ્મીર સહિતના રાજ્યોમાં ફેક ભાડા કરારથી રહિશ બતાવીને હથિયારોના લાયસન્સ મેળવ્યાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ […]

અમદાવાદમાં ખાણી-પીણીના ચેકિંગમાં લાપરવાહી અંગે મ્યુનિ.કમિશ્નરએ ઠપકો આપ્યો

અસહ્ય ગરમીમાં રોગચાળો ન ફેલાય તે માટે ખાણી-પીણીનું ચેકિંગ કરવા સુચના મ્યુનિ.કમિશનરે રિવ્યુ બેઠકમાં સવાલ પૂછતાં ફૂડ અધિકારીઓ જવાબ ન આપી શક્યા રિવ્યુ બેઠકમાં હીટ એક્શન પ્લાનની પણ સમિક્ષા કરાઈ અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે ગરમીમાં ખાદ્ય ચિજ-વસ્તુઓ બગડી જતી હોવાથી રોગચાળો ન ફેલાય તે માટે લારી-ગલ્લા તેમજ નાના વાહનોમાં ખાદ્ય […]

અમદાવાદમાં લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન

વહેલી સવારે ચિમનભાઈ બ્રિજ પર બન્યો બનાવ કાળુપુરથી એક્ટિવા પર લૂંટારૂ શખસો રિક્ષાનો પીછો કરી રહ્યા હતા રૂપિયા 13.56 લાખના સોનાના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાઈ અમદાવાદઃ શહેરના ચિમનભાઈ બ્રિજ પર એક્ટિવા પર આવેલા લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાનું સોનાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. મહિલા કાળુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેઠી હતી. અને […]

બુલિયન બજારમાં સોનાના ભાવમાં થોડો વધારો

નવી દિલ્હીઃ સ્થાનિક બુલિયન બજારમાં આજે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આ વધારાને કારણે, આજે 24 કેરેટ સોનું મોંઘુ થઈ ગયું છે અને દેશના મોટાભાગના બુલિયન બજારોમાં તે 90,450 થી 90,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે, આજે 22 કેરેટ સોનું 82,910 થી 83,060 રૂપિયા પ્રતિ […]

મહાવીર જયંતી પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીની શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી હતી. આ વર્ષે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની 2623મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, “મહાવીર જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને, ખાસ કરીને જૈન સમુદાયના લોકોને હાર્દિક […]

મુંબઈ હુમલા કેસમાં આતંકી રાણાને અમેરિકાથી ભારત લવાયો, સુરક્ષા એજન્સીઓ કરેશે પૂછપરછ

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં માસ્ટર માઈન્ડ  તહવ્વુર રાણાને હવાઈ માર્ગે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. એનઆઈએની ટીમ ખાસ વિમાનમાં આતંકી રાણાને અમેરિકાથી લઈને આવી છે. તેમજ તેને આગામી 24 કલાકમાં આરોપીને એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ એનઆઈએ દ્વારા તેની ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દિલ્હીના પાલમ એરપોર્ટ […]

ભારત અને જાપાન વચ્ચે પ્રવાસન સહકાર પર કાર્યકારી જૂથની ચોથી સંયુક્ત બેઠક

નવી દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે પ્રવાસન સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ની ચોથી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ભારત સરકારના પર્યટન મંત્રાલયના મહાનિર્દેશક શ્રીમતી મુગ્ધા સિંહા અને જાપાન ટુરિઝમ એજન્સી (JTA)ના કમિશનર હરાઇકાવા નાઓયાએ સહ-અધ્યક્ષતા કરી હતી. બંને દેશોના અધિકારીઓ અને ખાનગી હિસ્સેદારોએ હાજરી આપી હતી, જેમાં એરલાઇન્સ, પ્રવાસન અને […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થશે, એડવાઇઝરી જાહેર કરાશે

નવી દિલ્હીઃ દર વર્ષની જેમ આ વખતે પણ લાખો શ્રદ્ધાળુઓ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચવાની અપેક્ષા છે. સરકાર અને વહીવટીતંત્રે યાત્રાને સરળ, સલામત અને વ્યવસ્થિત બનાવવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. પરિવહન વિભાગની સલાહ મુજબ, પર્વતીય રસ્તાઓ પર રાત્રે વાહનોના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ચારધામ યાત્રાના રૂટ પર રાત્રે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code