1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હવે મીઠાથી ચાલશે ઈ-સ્કૂટર, ચીને વિકસાવી ટેકનોલોજી

અત્યાર સુધી, ઇલેક્ટ્રિક વાહનો ચલાવવા માટે લિથિયમ આયન (લિ-આયન), લિથિયમ ફોસ્ફેટ (LFP) અથવા લીડ એસિડથી બનેલી બેટરીનો ઉપયોગ થાય છે. એક તરફ, બેટરી માટે લિથિયમનું ખાણકામ ખૂબ મોંઘુ છે, તો બીજી તરફ તે પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. પરંતુ હવે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને હવે મીઠાથી ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાની તૈયારીઓ ચાલી […]

દરરોજ યોગ્ય માત્રામાં માખણ આરોગવાથી ડાયબિટીસનો ખતરો ઘટે છે, અભ્યાસમાં દાવો કરાયો

આજકાલ ખૂબ જ નાની ઉંમરે ડાયાબિટીસ અને હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. આ પાછળ ઘણા પરિબળો છે જેમ કે વિક્ષેપિત દિનચર્યા એટલે કે સૂવાનો, જાગવાનો અને ખાવાનો યોગ્ય સમય ન હોવો. આ ઉપરાંત, ખોરાક તમારા સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરે છે. સ્વસ્થ રહેવા માટે, ચરબી ઘટાડવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસ થાય […]

પ્લેન ક્રેશમાં ભોગ બનેલા પ્રવાસીઓમાંથી 32ના DNA મેચ થયા, 14 મૃતદેહ પરિવારને સોંપાયા

સિવિલ હોસ્પિટલ દ્વારા મૃકોના પરિવારજનોને સંપર્ક કરવામાં આવી રહ્યો છે, ગત રાત્રે  3 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા, ડીએનએ ટેસ્ટ માટે 272 સેમ્પલ આવ્યા હતા અમદાવાદઃ એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતા 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. તમામ મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી ડીએનએ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 32 ડીએનએ મેચ […]

વિજય રૂપાણીના 70 કલાક બાદ DNA મેચ થયા, કાલે રાજકોટમાં થશે અગ્નિસંસ્કાર

પરિવાર ચાર્ટર પ્લેન મારફત હિરાસર એરપોર્ટ પહોંચશે, સ્વ. વિજય રૂપાણીનો મૃતદેહ સાંજ સુધીમાં રાજકોટ પહોંચશે, રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન માટે રખાશે  અમદાવાદઃ શહેરમાં પ્લેન દૂર્ઘટનામાં 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. મૃતકોના ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન 70 કલાક બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. સ્વ. રૂપાણીનો મૃતદેહ તેમના […]

ગુજરાતમાં 7 જિલ્લાના 825 કેન્દ્રો પર 2.72 લાખ પરીક્ષાર્થીઓએ આપી LRDની પરીક્ષા

પ્રશ્નપત્ર સરળ હોવાથી પરીક્ષાર્થીઓ ખૂશખૂશાલ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો, કેટલાક પરીક્ષાર્થીઓને ગણિતના સવાલો અઘરા લાગ્યા અમદાવાદઃ રાજ્યમાં આજે 7 જિલ્લાના 825 પરીક્ષા કેન્દ્રો પર એલઆરડીમાં ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 2.72 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. એકંદરે પેપર સહેલુ નિકળતા પરીક્ષાર્થીઓ ખૂશખૂશાલ જોવા મળ્યા હતા. જોકે પરીક્ષા આપીને આવેલા […]

કેદારનાથ નજીક ગૌરીકૂંડ પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં 7 યાત્રાળુઓના મોત

મૃતકોમાં બે વર્ષના બાળકનો સમાવેશ, યુપી-મહારાષ્ટ્રના 2-2 મુસાફરો અને ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાતના 1-1 મુસાફરો હતા, હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતુ. દહેરાદૂનઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રિકો આવી રહ્યા છે. ત્યારે ઘણા યાત્રિકો હેલિકોપ્ટરમાં કેદારનાથ જતા હોય છે. આજે  રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. […]

સસ્તા સોનાની લાલચમાં રેલવે અધિકારીને ઠગ ડુપ્લીકેટ સોનું પધરાવી ગયો

રેલવેના ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટરને ઠગે 7 લાખનો ચુનો ચોપડ્યો, ટિકિટ ચેકિંગ દરમિયાન ઠગેએ ખોદકામ દરમિયાન દાગીના મળ્યા હોવાનું કહ્યું, વડોદરા રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ સસ્તુ સોનું ખરીદવાની લાલચમાં રેલવે અધિકારીને સાત લાખ ગુમાવવા પડ્યા છે. રેલવે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને એક શખસે સોનાના દાગીના અને લગડી આપવાના બહાને […]

ગોધરા-દાહોદ હાઈવે પર કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં બેના મોત

સ્કૂટર પર નોકરીએ જઈ રહેલા બે યુવાનો મોતને ભેટ્યા, અક્સામતને લીધે લોકોના ટોળાં એકઠા થયા, પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી દાહોદઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે ગોધરા-દાહોદ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. વહેલી સવારે ગોધરા નજીક કાર અને સ્કૂટર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. સ્કૂટર લઇને […]

ગોંડલના ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવાનોના ડૂબી જતા મોત

તળાવમાં એક યુવાન ડૂબી જતા તેને બચવવા પડેલા સાથી મિત્રનું મોત, ફાયર વિભાગે ભારે જહેમત બાદ બન્ને યુવાનોની ડેડબોડી બહાર કાઢી, બન્ને યુવાનોના મોતથી પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ રાજકોટઃ ગોંડલના ખીમોરી તળાવમાં નાહવા પડેલા બે યુવાન મિત્રોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. એક મિત્રને બચાવવાના પ્રયાસમાં બીજા મિત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને […]

વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવાયા

મ્યુનિ.કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા, 42 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું, વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવવાની કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં ધોળીપોળ દરવાજા આસપાસ 50થી વધુ દબાણો હટાવયા હતા. મ્યુનિ.કોર્પોરેશને વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત દબાણો હટાવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code