1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી. હાલની સ્થિતિએ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ભાજપા બહુમતથી હજુ દૂર છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, જેએમએમ, રાજદ અને સીપીઆઈએ ઈન્ડી ગઠબંધન હેઠળ ઝંપલાવ્યું હતું. 81 બેઠકોવાળી વિધાનસભામાં બે તબક્કામાં મતદાન યોજાયું હતું. આજે સવારથી […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ મતગણતરીમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયા બાદ આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તારણોથી ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના મહા વિકાસ અઘાડી ગઠબંધનનું ભારે ધોવાણ થયું છે. મહાયુતિ મતગણતરીમાં આગળ હોવાથી ભાજપા, શિવસેના (એકનાથ શિંદે) તથા એનસીપી (અજીત પવાર)ના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીમાં ફેલાઈ […]

સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી BJP-NDAની મુશ્કેલીઓ વધારશેઃ સચિન પાયલટ

નવી દિલ્હીઃ વાયનાડ લોકસભા બેઠક ઉપર પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતની ભવિષ્યવાણી કરતા કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, સંસદમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી હોવાથી ભાજપા અને એનડીએની રાતની ઉંઘ ઉડી જશે. ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા સચિન પાયલટે જણાવ્યું હતું કે, અમે વાયનાડમાં […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ બનાવી ખાસ રણનીતિ, 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે હવે આગામી 3 મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. દરમિયાન […]

દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેઓ કેન્દ્રીય મંત્રીઓ મનોહર લાલ ખટ્ટર અને હર્ષ મલ્હોત્રા, બીજેપી દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મીડિયા ચીફ અનિલ બલુનીની હાજરીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાયા હતા. ખટ્ટરે ગેહલોતના પ્રવેશને રાષ્ટ્રીય […]

કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને પ્રોત્સાહન આપવાની કોશિશ ન કરવા પીએમની વિપક્ષને અપીલ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રના ધુલેમાં ચૂંટણી રેલીને સંબોધીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે મહાવિકાસ અઘાડી (MVA) પર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન પીએમ મોદીએ કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને પ્રોત્સાહન આપવાની કોશિશ ન કરવા માટે વિપક્ષને વિનંતી કરી હતી. તેમણે કહ્યું, ‘જ્યારે પણ મેં મહારાષ્ટ્ર […]

વિરાટ કોહલી અને બાબર આઝમ એક જ ટીમ વતી ક્રિકેટ રમતા જોવા મળે તેવી શકયતા

લગભગ બે દાયકાના અંતરાલ પછી, આફ્રો-એશિયા કપ ફરી શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેમાં એશિયા XI અને આફ્રિકા XI વચ્ચે સફેદ બોલની મેચો રમાશે. આફ્રિકન ક્રિકેટ એસોસિએશન (ACA) એ તેની વાર્ષિક કોન્ફરન્સમાં ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી, જેમાં છ સભ્યોની વચગાળાની સમિતિની પણ રચના કરવામાં આવી હતી. સમિતિનો ઉદ્દેશ્ય ACA […]

નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં 11 રેલીઓ કરશે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન રાજ્યમાં પાર્ટીના પ્રચાર માટે ઘણી રેલીઓ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી 8થી 14 નવેમ્બરની વચ્ચે રાજ્યમાં લગભગ 11 રેલીઓને સંબોધિત કરશે. મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે પીએમ મોદી 8 નવેમ્બરે ધુલે અને નાસિક, 9 […]

ઝારખંડ ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડી ગઠબંધન ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ઝારખંડમાં ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેએમએમ-કોંગ્રેસ-આરજેડીની તુષ્ટિકરણ નીતિને કારણે ઘૂસણખોરીનો ખતરો એટલો મોટો થઈ ગયો છે કે રાજ્યની શાળાઓમાં સરસ્વતી વંદના પર પ્રતિબંધ છે, તીજના તહેવારો પર પથ્થરમારો થઈ રહ્યો છે, માતા દુર્ગાનો માર્ગ છે પ્રતિમાઓ તરફ પણ રોક લગાવવામાં આવી રહી છે. હવે પાણી માથા ઉપરથી વહી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code