1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ઓડિશા વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ વધારે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ભાજપાએ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે તેના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપાએ રાઉકેલા બેઠક પરથી દિલીપ […]

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રની સતારા બેઠક ઉપર BJPએ છત્રપતિ શિવાજી મહારાજના વંશજને ટીકીટ આપી

નવી દિલ્હીઃ ભાજપે મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી બહાર જાહેર કરી હતી. આ યાદીમાં ચાર રાજ્યોની સાત બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે કે જેના માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ માટે મહત્તમ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં […]

ભાજપાનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગત તારીખ 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા, મહિલા, ગરીબ, ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે આ સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ […]

૧૩૯ વર્ષની કોંગ્રેસ હવે વેરવિખેર થઈ રહી છે, શા માટે? કેવી રીતે?

(સુરેશભાઈ ગાંધી) સાવ નિરાશ થઈને બેઠેલા મારા એક કોંગ્રેસી મિત્રને મેં પૂછ્યું, `આજે તમે આટલા નિરાશ અને ઢીલા કેમ દેખાઓ છો?’ તો મારા મિત્ર બોલ્યા, `જુઓને, એક સમયની ધરખમ ગણાતી અમારી કોંગ્રેસ હવે ખાલીખમ થવા બેઠી છે રોજેરોજ મિત્રો કોંગ્રેસ છોડતા જાય છે. એક સમયે આખા દેશમાં મૂળિયાં જમાવીને બેઠેલી આ કોંગ્રેસ વેરવિખેર કેમ થતી […]

આગાઉની સરકારોએ જમ્મુના ખેડૂતો સાથે અન્યાય કરીને રાવીનું પાણી પાકિસ્તાનને આપ્યાનો મોદીનો આક્ષેપ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ભાજપા સરકારે જમ્મુ-કાશ્મીરમાં કરેલા વિકાસ કાર્યો ગણાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ઘણું આગળ વિચારું છું. આજે જમ્મુ-કાશ્મીરમાં બધું બદલાઈ ગયું છે. આ માટે અમે સતત કામ […]

કોંગ્રેસની સરકાર આવશે તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને 30 લાખ સરકારી નોકરી આપશેઃ રાહુલ ગાંધી

જયપુરઃ લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પૂરોજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરમાં યોજી જનસભા. રાહુલ ગાંધીએ કહ્યું અમારી સરકાર આવે તો જાતિ આધારિત વસતી ગણતરી, આર્થિક અસમાનતાનો કરાવીશું સરવે, મહિલાઓને નોકરીમાં 50 ટકા અનામત મળશે. સાથે જ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો  30 લાખ સરકારી નોકરી […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન શુક્રવારે બહાર પાડવામાં આવશે

નવી દિલ્હીઃ સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે નામાંકન આવતીકાલથી શરૂ થશે. લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીઓમાં યોજાનારી 12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની 94 સંસદીય બેઠકો (પીસી) માટે ગેઝેટ નોટિફિકેશન 12મી એપ્રિલના રોજ શુક્રવારના રોજ બહાર પાડવામાં આવશે. તો મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાન માટેનું જાહેરનામું પણ આવતીકાલે બહાર પાડવામાં આવશે. મધ્યપ્રદેશના 29 બેતુલ (એસટી) […]

કોંગ્રેસ છોડનાર રોહન ગુપ્તા BJPમાં જોડાયા, પિતાની બીમારીના કારણોસર ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે, પિતાની બીમારીનું કારણ દર્શાવીને કોંગ્રેસને રામ રામ કહેનાર સિનિયર નેતા રોહન ગુપ્તા ભાજપમાં સામેલ થયાં છે. ગત મહિને 22મી માર્ચના રોજ રોહન ગુપ્તાએ પાર્ટીના સંચાર વિભાગ સાથે જોડાયેલા કોંગ્રેસના નેતા ઉપર સતત અપમાન અને ચરિત્ર હનનનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે રોહન ગુપ્તાને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યાત્રાધામ ઋષિકેશમાં બેઠક યોજશે

નવી દિલ્હીઃ યાત્રાધામ શહેર ઋષિકેશ 11 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક ગઢવાલ વિભાગની ત્રણ લોકસભા બેઠકો પર ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઋષિકેશમાં યોજાનારી પીએમ મોદીની આ જાહેર સભાથી ભાજપ હરિદ્વાર, ટિહરી અને પૌરી બેઠકોના સમીકરણોને ઠીક કરવાની આશા રાખી રહી છે. ભાજપને વિશ્વાસ છે કે મોદીની રેલી […]

ભારતમાં વર્ષ 1996 પહેલા લોકસભાની બે કરતાં વધુ બેઠકો પરથી એક ઉમેદવારને ચૂંટણી લડવાની સ્વતંત્રતા હતી

નવી દિલ્હીઃ આઝાદી પછી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ઘણી એવી બેઠકો હતી જેના પર નેતાઓ ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડતા હતા. વાસ્તવમાં, આ બે બેઠકોમાંથી, એક બેઠક સામાન્ય અને બીજી આરક્ષિત એટલે કે એસસી-એસટી કેટેગરીની હતી. ઉલ્લેખનીય છે કે અનામત વર્ગને પણ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે આવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હતી. જો કે, વિરોધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code