1. Home
  2. revoinews

revoinews

ભાજપ સરકાર આતંકવાદને જમીનમાં દફન કરી દેશેઃ અમિત શાહ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સંબોધિ ચૂંટણી રેલી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ઉપર કર્યાં પ્રહાર રાજ્યમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં રાજકારણીઓ એકબીજા પર પ્રહારો કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યના કિશ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત […]

અમદાવાદઃ શાહીબાગ અંડરપાસ 18મી સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે

અંડરપાસ સમારકામને લઈને બંધ રાખવાનો નિર્ણય વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયાં અમદાવાદઃ શાહીબાગ અંડરપાસ 18મી સપ્ટેમ્બર સુધી રાત્રે 12.00 વાગ્યા થી સવારે 06.00 વાગ્યા સુધી બંધ  વાહન વ્યવહાર માટે બંધ રહેશે.પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અંડરપાસ નંબર 731A કિ.મી. 498/28-30 શાહીબાગ અંડરપાસ તાત્કાલિક અસરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી રાત્રે 00.00 વાગ્યા થી સવારે 06.00 […]

પાકિસ્તાનના એક રાજદ્વારીએ સોશિયલ મીડિયા ઉપર બાંગ્લાદેશના આંદોલનની તસ્વીર પોસ્ટ કરી?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ અને શેખ હસીના અંગે ભારતના વર્તમાન વલણ વિશે માહિતી આપી હતી. વિપક્ષ પણ કેન્દ્ર સરકારના સ્ટેન્ડ સાથે સહમત છે. બેઠકમાં હાજર રહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્વપક્ષીય બેઠકમાં […]

યુપીમાં 9 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવશેઃ સીએમ યોગી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાકોરી ટ્રેન એક્શન શતાબ્દી મહોત્સવ અને હર ઘર ત્રિરંગા કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે 9 થી 15 ઓગસ્ટ સુધી રાજ્યના દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતની સ્વતંત્રતા ચળવળની વિવિધ ઐતિહાસિક ઘટનાઓમાં કાકોરી ટ્રેન […]

નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી, સમિતિને 30 સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ આપવા નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે NEET પર પોતાનો વિગતવાર આદેશ વાંચ્યો હતો. કોર્ટે પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈસરોના ભૂતપૂર્વ વડા રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના કાર્યક્ષેત્ર અંગે ચર્ચા કરી છે. કોર્ટે પ્રારંભિક તબક્કાથી લઈને પરિણામ જાહેર થાય ત્યાં સુધી કોઈપણ પરીક્ષા માટે અનેક પગલાં સૂચવ્યા છે. કોર્ટે કહ્યું છે કે સમિતિએ આ […]

ભારતે ત્રણ T20 મેચોની શ્રેણીની ત્રીજી અને છેલ્લી રોમાંચક મેચ સુપર ઓવરમાં જીતી

નવી દિલ્હીઃ ભારતે ત્રણ T20 મેચોની શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ સુપર ઓવરમાં જીતી લીધી છે. આ સાથે ભારતે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. સુપર ઓવરમાં ભારતને માત્ર 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને સૂર્યકુમાર યાદવે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને હાંસલ કરી લીધો હતો, જ્યારે ભારત વતી વોશિંગ્ટન સુંદરે સુપર ઓવરમાં બોલિંગ […]

મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે

નવી દિલ્હીઃ આજકાલના બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે. જેના કારણે મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે. બાળકોમાં મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે ખરાબ ઊંઘની ગુણવત્તાથી લઈને તણાવ, ચિંતા અને ઉચ્ચ સ્તરના ડિપ્રેશનનું કારણ બની શકે છે. બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનનું વ્યસન તેમને માનસિક રોગી બનવાનું કારણ બની શકે છે. આવી […]

ગુજરાતમાં બપોર સુધીમાં 167 તાલુકામાં વરસાદ, બોરસદમાં 13 ઈંચ, તિલકવાડા અને ભરૂચમાં 7 ઈંચ,

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મુકામ કર્યો છે. આજે બોરસદમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સાંબેલાધારે 13 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નર્મદાના તિલકવાડા અને ભરૂચમાં પણ 7 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ છોટા ઉદેપુરના નસવાડી, ભરૂચના ઝઘડિયા અને હાંસોટ, નર્મદાના નાંદોડ સહિત તાલુકાઓમાં 5 ઈંચ વરસાદ […]

યુવાનો માટે મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી

સરકાર 1 કરોડ યુવાનોને મોટી 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક આપશે. આમાં 6000 રૂપિયાના વધારાના ભથ્થા સાથે દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. સંગઠિત ક્ષેત્રમાં આવતા કર્મચારીઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે જેઓ EPFOમાં નોંધાયેલા હશે. તેમને એક મહિનાનો 15,000 રૂપિયાનો પગાર ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આ માટે 1 લાખ […]

પેરિસ ઓલિમ્પિક્સ ટેબલ ટેનિસ : શ્રીજા અકુલા અને મનિકા બત્રા સૌથી વધુ ક્રમાંકિત ભારતીય ખેલાડી

નવી દિલ્હીઃ 27 જુલાઈથી શરૂ થઈ રહેલી પેરિસ 2024 ઓલિમ્પિક ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં શ્રીજા અકુલા (16મી) અને મનિકા બત્રા (18મી) સૌથી વધુ ક્રમાંકિત ભારતીય ખેલાડીઓ છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) એ રેન્કિંગ જાહેર કર્યું છે. પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમના ખેલાડીઓમાં, ભારતની 2 મહિલા ખેલાડીઓ ઓલિમ્પિકની ટોચની ખેલાડીઓમાં સામેલ છે. ભારતની શ્રીજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code