1. Home
  2. ગુજરાતી
  3. કોમર્શિયલ પાયલોટ લાયસન્સની વેલિડિટીમાં કેન્દ્ર એ કર્યો વઘારો, હવેથી 10 વર્ષ માટે માન્ય
કોમર્શિયલ પાયલોટ લાયસન્સની વેલિડિટીમાં કેન્દ્ર એ કર્યો વઘારો, હવેથી 10 વર્ષ માટે માન્ય

કોમર્શિયલ પાયલોટ લાયસન્સની વેલિડિટીમાં કેન્દ્ર એ કર્યો વઘારો, હવેથી 10 વર્ષ માટે માન્ય

0
Social Share

દિલ્હીઃ- કેન્દ્ર સરકાર સતત દેશના લોકોના હિતમાં અનેક નિર્ણયો લઈ રહી છએ ત્યારે હવે કોમર્શિયલ પાયલોટના લાયસન્સની વેલિડિટીને લઈને પણ કેન્દ્રની સરકારે મહત્વનો નિર્ણય લીધો છએ જે પ્રમાણે હવે લાયસનસ્ની વેલેટિડિટી 10 વર્ષ સુઘી માન્ય રહેશે.

ઉડ્ડયન મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલા નિવેદન અનુસાર, ‘આ ફેરફારથી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન જેવા પાઇલોટ્સ અને ઉડ્ડયન સત્તાવાળાઓ પર વહીવટી બોજ ઘટાડવાની અપેક્ષા છે.

આ સહીત આ નિર્ણય આ વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ લાઇસન્સિંગ પ્રક્રિયા તરફ દોરી જશે. વધુમાં, એરપોર્ટની આસપાસની ‘લાઇટ’ સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  હવે કેન્દ્ર એ ઉડ્ડયન ક્ષેત્રને સરળ બનાવવા અને સુધારવાના તેના પ્રયાસોના ભાગરૂપે આ નિયમોમાં સુધારો કર્યો છે હવે કોમર્શિયલ પાઇલટ લાયસન્સની માન્યતા અવધિ વધારીને 10 વર્ષ કરી છે. અત્યાર સુધી કોમર્શિયલ પાયલોટ લાયસન્સ ની માન્યતા માત્ર પાંચ વર્ષની હતી ત્યાર બાદ તેને ફરીથી રિન્યુ કરાવાની માથાકૂટ રહેતી હતી જો કે હવે આ ભેજામારીમાંથી છૂટકારો મળ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરક્રાફ્ટ નિયમો, 1937માં સુધારો કર્યો છે. આ સુધારાઓ હેઠળ એરલાઇન ટ્રાન્સપોર્ટ પાઇલટ લાયસન્સઅને CPL ધારકોના લાયસન્સની માન્યતા પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code