1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. ગુરુની સીધી ચાલ કરશે કમાલ, ઓક્ટોબર સુધી આ રાશિઓ રહેશે માલામાલ
ગુરુની સીધી ચાલ કરશે કમાલ, ઓક્ટોબર સુધી આ રાશિઓ રહેશે માલામાલ

ગુરુની સીધી ચાલ કરશે કમાલ, ઓક્ટોબર સુધી આ રાશિઓ રહેશે માલામાલ

0
Social Share

ગુરુ હાલ મેષ રાશિમાં સીધી ચાલમાં ગોચર કરી રહ્યો છે. માર્ગી ચાલમાં ગુરુનું ગોચર કેટલીક રાશિઓની કિસ્મત પલટી શકે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ, ગુરુ હાલ મેષ રાશિમાં વિરાજમાન છે. ગત વર્ષ ગુરુએ મેષ રાશિમાં ગોચર કર્યું હતું, તે મે માસમાં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ હાલ માર્ગી ચાલમાં ગોચર કરી રહ્યા છે. ગુરુની સીધી ચાલ 8 ઓક્ટોબર સુધી રહેવાની છે. તેવામાં માર્ગી ગુરુનું ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. આવો જાણીએ ગુરુની સીધી ચાલથી કઈ રાશિઓને ભાગ્યનો સાથ મળવાનો છે.

કર્ક રાશિ-

કર્ક રાશિના જાતકો માટે ગુરુની માર્ગી સ્થિતિ ફાયદાકારક સાબિત થવાની છે. કરિયરની દ્રષ્ટિથી રચનાત્મક કૌશલ મજબૂત થશે. રચનાત્મક ગતિવિધિઓમાં વધારે રુચિ રહેશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ અને દોસ્તોનો સહયોગ મળશે. તેની સાથે જ અનેક કાર્યોને અંજામ આપીને સામાજીક ક્ષેત્રમાં પણ તમે માન-સમ્માન પ્રાપ્ત કરી શકશો.

સિંહ રાશિ-

ગુરુની સીધી ચાલ સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત હશે. તમારો આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં બનાવવામાં આવેલી યોજનાઓથી સફળતા મળવાની સંભાવના વધારે છે. નોકરી કરી રહેલા લોકોને ગુરુ કૃપાથી પોતાના હાર્ડ વર્કનું પરિણામ મળશે. કામના વખાણ થશે તેની સાથે જ તમને કોઈ મોટી જવાબદારી પણ મળી શકે છે. પ્રતિસ્પર્ધી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સફળતા મેળવે તેવી સંભાવના છે. કમાણીના નવા સ્ત્રોત પણ બનશે.

ધન રાશિ-

ધન રાશિના જાતકો માટે ગુરુની માર્ગી ચાલ બેહદ શુભ માનવામાં આવે છે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ધીરેધીરે દૂર થવા લાગશે. સમાજને પ્રભાવિત કરવાની અને આકર્ષિત કરવાની તમારી ક્ષમતા પણ તેજ બનશે. ભીડથી અલગ વિચારવું અને નેતૃત્વ તરફ પગલા વધારશો. યાત્રા કરવાની પણ સંભાવના છે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં આવામાં આવેલી જાણકારી પર અમારો એ દાવો નથી કે તે સંપૂર્ણપણે સત્ય અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધારે જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code