1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કરકરા અને કુંજ પક્ષીના પગમાં GPS ટ્રાન્સમીટર લગાવાયા, હવે બન્ને પક્ષીઓના દિનચર્યાનો અભ્યાસ
કરકરા અને કુંજ પક્ષીના પગમાં GPS ટ્રાન્સમીટર લગાવાયા, હવે બન્ને પક્ષીઓના દિનચર્યાનો અભ્યાસ

કરકરા અને કુંજ પક્ષીના પગમાં GPS ટ્રાન્સમીટર લગાવાયા, હવે બન્ને પક્ષીઓના દિનચર્યાનો અભ્યાસ

0
Social Share

જૂનાગઢ: પક્ષીઓની દિનચર્યા વિશે જાણવાની ઘણાને ઉત્કંઠા હોય છે. ગુજરાતમાં 600થી વધુ પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે. પક્ષીવિદો પક્ષીઓનો રક્ષણ માટે હંમેશા કાર્યશીલ રહેતા હોય છે. ત્યારે રાજ્યના વન વિભાગ દ્વારા  કરકરા, કુંજ પક્ષીઓનું વૈજ્ઞાનિક અભ્યાસ અર્થ સેટેલાઇટ ટેલિમેટ્રી ચીપ સાથે સોલાર સંચાલિત જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી હતી.

સાસણ વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કુલ 609 પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરે છે. વિશ્વમાં જોવા મળતી કુંજની કુલ 15 પ્રજાતિઓમાંથી 3 પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે. આ ત્રણ પૈકી બે પ્રજાતિઓ ‘કરકરા’ તેમજ ‘કુંજ’ પક્ષીઓનો આઇ.યુ.સી.એન રેડ લિસ્ટમાં ‘લીસ્ટ કન્સર્ન્ડ’ અનુસુચિમાં સામેલ છે. જ્યારે ભારતમાં વન્યપ્રાણી અધિનિયમ ધારો-1972 ની અનુસુચિ-4 માં આ પક્ષીઓને કાયદાકીય સુરક્ષા આપવામાં આવેલ છે.

આ પક્ષીઓની સ્થળાંતરની રીત, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, દરરોજની ગતિવિધીના અભ્યાસાર્થે અને તેના આધારે ગુજરાત રાજયમાં ભવિષ્યમાં તેના સંરક્ષણ માટેની યોજના બનાવવાના હેતુથી વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર, ગુજરાત વન વિભાગ દ્વારા સક્ષમ સત્તાધિકારી પાસેથી પુર્વ મંજુરી મેળવી કરકરા અને કુંજ પક્ષીઓને સેટેલાઇટ ટેલીમેટ્રી મારફત વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટેગીંગ ટીમ દ્વારા સૌ-પ્રથમ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કુશળ અને અનુભવી ટ્રેપરોની મદદથી પક્ષીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ બે કરકરા અને બે કુંજ પક્ષીઓ એમ કૂલ ચાર પક્ષીઓને સૌર-ઉર્જાથી ચાલતા લેગ-માઉન્ટ પ્રકારના (પગ પર લગાડી શકાતા) જીએસએમ-જીપીએસ ટ્રાન્સમીટર લગાવવામાં આવી હતી. ટેગીંગ કાર્ય દરમિયાન તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી હતી. વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર ખાતેના ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટમાં આ ટેગ કરેલા પક્ષીઓનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.

આ અભ્યાસ દ્વારા મેળવવામાં આવેલી વૈજ્ઞાનિક માહિતી આ પ્રજાતિઓ માટે ભવિષ્યમાં સંરક્ષણની વ્યુહરચના બનાવવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ માહિતી દ્વારા પક્ષીઓના શિયાળા દરમિયાનના અને પ્રજનન સ્થળોને સંલગ્ન તેમના સ્થળાંતર, વસવાટસ્થળની પસંદગી વગેરે બાબતની માહિતી મળી શકશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code