ભારતીય મૂળના પદ્મ વિશ્વનાથન આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2026 માટે શોર્ટલિસ્ટ થયા
નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: ભારતીય-અમેરિકન કેનેડિયન-અમેરિકન લેખિકા અને અનુવાદક પદ્મ વિશ્વનાથનને બ્રાઝિલિયન લેખિકા અના પૌલા માયાની નવલકથા ‘ઓન અર્થ એઝ ઇટ ઇઝ બેનીથ’ ના અંગ્રેજી અનુવાદ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2026 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
અગાઉ મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ તરીકે ઓળખાતું, તે વાર્ષિક ધોરણે અંગ્રેજી સિવાયની અન્ય ભાષામાં લખાયેલી અને ત્યારબાદ અંગ્રેજીમાં અનુવાદિત અને બ્રિટન અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત સાહિત્યના કાર્યને એનાયત કરવામાં આવે છે.
આ પુરસ્કારના વિજેતાને 50,000 પાુ્ઉન્ડનું ઇનામ મળશે, જે વિજેતા લેખક અને અનુવાદક વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. વિજેતાની જાહેરાત 19 મેના રોજ લંડનના ટેટ મોર્ડન ખાતે એક સમારોહમાં કરવામાં આવશે.
વધુ વાંચો: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઉત્કલ દિવસ પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી


