પીપાવાવ પોર્ટ પર 10 સિંહો રેલવેના ટ્રેક પર આવતા ગુડ્ઝ ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી
અમરેલીઃ જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયો છે. જેમાં પીપાવાવ પોર્ટ અને તેની આજુબાજુના દરિયાકાંઠા વિસ્તારોમાં સિંહ પરિવારોએ નવું રહેઠાણ બનાવ્યું છે. પીપાવાવ પોર્ટને લીધે રેલવેની બ્રોડગેજ લાઈન હોવાથી ગુડઝ ટ્રેનોની પણ અવર-જવર રહેતી હોય છે. અને ઘણીવાર સિંહ રેલવે ટ્રેક પર આવી જતા હોય છે. ભૂતકાળમાં ટ્રેનની અડફેટે સિંહોના મોતના બનાવો બન્યા હોવાથી હાઈકોર્ટના નિર્દેશ […]