ગુજરાતમાં 10 હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્ત કરાશેઃ શિક્ષણ મંત્રી વાઘાણી
ગાંધીનગરઃ રાજ્યમાં સોમવારથી તમામ શાળા-કોલેજોમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ ઓફલાઈન શરૂ થશે. ત્યારે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે આગામી તા. 21મીને સોમવારથી ઓનલાઈન શિક્ષણ બંધ કરીને તમામ શાળા-કોલેજોમાં ઓફલાઈન […]