રાજકોટના 200 સફાઈ કામદારો જામનગરમાં રોગચાળો અટકાવવા સફાઈની કામગીરી કરશે
રાજકોટઃ સૌરાષ્ટ્રના જામનગર પંથકમાં ભારે વરસાદ અને પૂરને લીધે શહેર-જિલ્લાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. મંગળવારે જામનગર શહેરમાં ભારે વરસાદ બાદ શહેરની સ્થિતિનો ચિતાર મેળવવા મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડી જાતે બાઇક લઇ રાત્રે શહેરમાં નીકળ્યા હતા. કમિશ્નરે જાત નિરીક્ષણ કર્યા બાદ તંત્રને સફાઈ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. આવા સંજોગોમાં રોગચાળો અટકાવવા માટે રાજકોટ […]