ગુજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે પદવીઓ-પારિતોષિક એનાયત
અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં 61 પીએચડી, 10 એમ.ફિલ., 434 એમ.એ., 397 બી.એ. અને 51 પી.જી. ડિપ્લોમાની પદવીઓ અપાઈ હતી. રાજ્યપાલના હસ્તે 43 વિદ્યાર્થી ભાઈ-બહેનોને 62 પારિતોષિકો એનાયત કરાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, 104 વર્ષ પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ઉચ્ચ આદર્શો અને […]