1. Home
  2. Tag "accident"

તમિલનાડુના તિરુનેલવેલીમાં બે કાર વચ્ચે અકસ્માતમાં સાત લોકોનાં મોત

બેંગ્લોરઃ તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના નાંગુનેરી નજીક થલાપતિ સમુદ્રમ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં ત્રણ પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે આ દુ:ખદ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક કાર તિરુનેલવેલી તરફ જઈ રહી હતી […]

જામનગર નજીક હાઈવે પર ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, ટ્રકચાલકનું મોત

ટ્રકચાલક કૂદકો મારીને ઉતરતા તેની જ ટ્રકના પાછલના વ્હીલ ફરી વળ્યા અનાજ ભરેલો ટ્રક લાલપુર બાયપાસથી અમદાવાદ જઈ રહ્યો હતો ટ્રક ફંગોળાઈને રોડ સાઈડ પર ઉતરી ગયો જામનગરઃ જિલ્લાના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર નજીક મોરડંકા ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે રાતના સમયે અનાજ ભરેલી એક ટ્રક […]

લખીમપુર પાસે બાઈકને બસે ટક્કર મારતા એક જ પરિવારના ચારના મોત, બાળકીનો બચાવ

લખનૌઃ લખીમપુર ખેરીના ગોલા ગોકરનાથમાં બાઈક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયાં હતા. માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને સાસરી પરત ફરી રહેલી એક મહિલા, તેના પતિ, પુત્ર અને સસરા એક જ બાઈક ઉપર જઈ રહ્યાં હતા. ત્યારે ઋષિકેશ ડેપોની બસે બાઈકને ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં […]

કારના ટાયરમાં આ સમસ્યા દેખાય તો તેને તાત્કાલિક બદલી નાખવા જોઈએ, નહીં તો સર્જાશે દુર્ઘટના

કારની સલામતીમાં ટાયર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો સમયસર ટાયર બદલવામાં ન આવે તો અકસ્માતો થઈ શકે છે. ઘણીવાર લોકો ટાયર સંપૂર્ણપણે ઘસાઈ ન જાય ત્યાં સુધી બદલતા નથી, પરંતુ આમ કરવું ખતરનાક બની શકે છે. તેથી, સમય સમય પર ટાયરની તપાસ કરવી અને જરૂર પડે તો તેને બદલવી મહત્વપૂર્ણ છે. જો સમયસર ટાયર બદલવામાં […]

જામનગરમાં ચેલા-ચેગા રોડ પર બસ અને પીકઅપ વેન વચ્ચે અકસ્માતમાં એકનું મોત

અકસ્માતમાં 10 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા ખાનગી લકઝરી બસ ડિવાઈડર કૂદીને પીકઅપ વેન સાથે અથડાઈ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ચેલા-ચંગા રોડ પર સર્જાયો હતો. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર […]

ચિત્રકુટમાં પીકઅપ વાહન અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચારના મોત

નવી દિલ્હીઃ દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ચિત્રકુટ જિલ્લામાં પિકઅપ વાહન અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તો પૈકી છની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.  ચિત્રકૂટ જિલ્લામાં, એક ડમ્પરે મજૂરોને લઈ જઈ રહેલા પિકઅપ ટ્રકને ટક્કર મારતા સર્જાયેલા […]

ભાવનગરના પ્રવાસીઓની બસનો લખનઉ-દિલ્હી હાઈવે પર સર્જાયો અકસ્માત, બેના મોત

ભાવનગરના પ્રવાસીઓ મહાકુંભની યાત્રાએ ગયા હતા બરેલી નજીક ખાનગી બસ ટ્રેકટર ટ્રોલી સાથે અથડાઈ અકસ્માતમાં ત્રણ યુવાનોને ગંભીર ઈજા ભાવનગરઃ શહેરમાંથી શ્રદ્ધાળુઓ ખાનગી લકઝરી બસમાં મહાકુંભ તેમજ ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયા હતા. જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી રાજધાની નામની ટ્રાવેલ્સ બસમાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા. જ્યાં લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક […]

સ્કૂલ પ્રવાસની બસને લીંબડી પાસે સર્જાયો અકસ્માત, 9 વિદ્યાર્થીઓ સહિત 11ને ઈજા

સ્કૂલ પ્રવાસીની બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત લીંબડીથી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારકા પ્રવાસે જઈ રહ્યા હતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા સુરેન્દ્રનગરઃ અમદાવાદ – રાજકોટ હાઈવે પર અકસ્માતોનુ પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લીંબડી નજીક હાઈવે પર બન્યો હતો. લીંબડીથી દ્વારકા જઈ રહેલી પ્રાથમિક શાળાના પ્રવાસની ટ્રાવેલ્સ બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ […]

કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7ના મોત, 40 ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાત વ્યક્તિઓના જ ઘટના સ્થળે મોત થયાં હતા. જ્યારે 40થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના […]

પ્રયાગરાજઃ પ્રવાસી બસ અને બોલેરો વચ્ચે અકસ્માતમાં 10 લોકોના મોત

લખનૌઃ પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભના આયોજન વચ્ચે મેજામાં રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 10 યાત્રાળુઓના મોત થયા. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પોલીસે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મેજા જિલ્લાના પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે મહાકુંભ યાત્રાળુઓથી ભરેલી બસ અને બોલેરો વચ્ચે ટક્કર થવાને કારણે બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code