1. Home
  2. Tag "AFGHANISTAN"

તાલિબાનનો આદેશઃ અફઘાનિસ્તાનમાં વિદ્યાર્થિનીઓના યુનિ.માં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ કેટલાક નિયમોમાં ફેરફાર થયાં છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે વિદ્યાર્થિનીઓના યુનિવર્સિટીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. ભારતે અફઘાનિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ અને માનવઅધિકારના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાન પર ભારતનું વલણ રજૂ કર્યું હતું. […]

અફઘાનિસ્તાનમાં યુવતીઓ માટે યુનિવર્સિટીના દરવાજા બંધ,તાલિબાને મૂક્યો પ્રતિબંધ

દિલ્હી:તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ કડક આદેશ જારી કર્યો છે.જે મુજબ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટેની યુનિવર્સિટી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રીના પત્ર અનુસાર તાલિબાને અફઘાનિસ્તાનમાં યુવતીઓ અને મહિલાઓ માટે ચાલતી યુનિવર્સિટીઓને બંધ કરવાની જાહેરાત કરી છે.મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાન મંત્રીનું કહેવું છે કે,આ આદેશ આગળની સૂચના સુધી લાગુ છે અને તેને તાત્કાલિક અસરથી […]

ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને 1955ના નાગરિકત્વ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ દેશોમાંથી આવેલા આ લઘુમતીઓ હાલમાં ગુજરાતના બે જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019ને બદલે, 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળ આ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો […]

મૌલાના મસૂદ અઝહર મુદ્દે પાકિસ્તાનના જુઠ્ઠાણાને અફઘાનિસ્તાને દુનિયા સામે ખુલ્લુ પાડ્યું

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી હુમલાના અનેક કેસમાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં હોવાનું જણાવીને પાકિસ્તાને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનના જુઠ્ઠાણાને દુનિયાની સામે ખુલ્લા પાડ્યાં છે. મોસ્ટ વોન્ડેટ આતંકવાદી મૌલાના મસૂદ અઝહર પોતાની ઘરતી ઉપર હાજર હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જૈશ-એ-મોહમ્મદ […]

અફ્ઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ,2 રશિયન ડિપ્લોમેટ સહિત 20ના મોત

દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન દ્વારા સત્તાને સંભાળવામાં આવી છે ત્યારથી અને પહેલા પણ લોકો આતંકવાદથી ગભરાયેલા રહેતા હતા, અને હવે ફરીવાર આતંકવાદી દ્વારા આતંકી પ્રવૃતિને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં જ કાબુલ શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ અને 18 અન્ય લોકોના મોત થયા છે. આ 72 કલાકમાં બીજો મોટો બ્લાસ્ટ છે. આ બ્લાસ્ટ રશિયા […]

અફઘાનિસ્તાનની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ,અત્યાર સુધીમાં 14 લોકોના મોત 

હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ અત્યાર સુધીમાં 14 લોકોના મોત મસ્જિદના ઈમામ અને મૌલવીના મૃત્યુના અહેવાલ દિલ્હી:તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ વિસ્ફોટોની ઝપેટમાં આવી રહ્યું છે. દેશમાં ફરી એકવાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં મસ્જિદના ઈમામ માર્યા ગયા છે. અહેવાલ મુજબ,આ વિસ્ફોટમાં મસ્જિદના […]

ભારતે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં અફઘાનિસ્તાન મોકલ્યા

અફઘાનિસ્તાનની માનવતાવાદી સહાયમાં ભારત આગળ અત્યાર સુધીમાં 40 હજાર મેટ્રિક ટન ઘઉં મોકલવામાં આવ્યા દિલ્હી:ભારત આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને અનાજ અને દવાઓના રૂપમાં સતત માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે.ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન શાસનની સ્થાપના થયા બાદ પણ ભારત તરફથી મદદ શરૂ છે.ભારતે તેની સહાયતા અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ […]

જમ્મુના કટરાથી લઈને મહારાષ્ટ્રના કોલ્હાપુર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો,જાણો તેની તીવ્રતા

દિલ્હી:દરરોજ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે.25-26 જૂનની રાત્રે જમ્મુ-કાશ્મીરથી મહારાષ્ટ્ર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો.જો કે, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર અથવા અફઘાનિસ્તાનમાંથી ક્યાંય પણ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, મધ્યરાત્રિ પછી જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સૌથી પહેલા ધરતી ધ્રૂજી હતી.નેશનલ સેન્ટર ફોર […]

અફઘાનિસ્તાન: મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 31 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદ વરસાદને કારણે આવ્યું પૂર પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા થયા છે.તાલિબાનની સત્તાવાર સમાચાર એજન્સીએ સોમવારે આ માહિતી આપી હતી. રવિવારે ઉત્તર પરવાન પ્રાંતમાં પૂરની અસર થઈ હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય […]

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં ટોચના તાલિબાની નેતા હક્કાનીનું મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મદરેસામાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ટોચના તાલિબાન નેતા મૌલવી રહીમુલ્લાહ હક્કાનીનું મોત થયું હતું. તાલિબાનના જણાવ્યા અનુસાર, હુમલાખોરે તેના કુત્રિમ પગમાં છુપાયેલ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટની જવાબદારી ISએ લીધી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર રહીમુલ્લાહ હક્કાનીને તાલિબાનના ગૃહ મંત્રી અને હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાનીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code