1. Home
  2. Tag "ambaji"

અંબાજીમાં ભાદરવી મેળાને મંજુરી હજુ નથી આપી છતાં મેળા જેટલી જ ભાવિકોની મેદની

અંબાજી:  ભાદરવા મહિનામાં જ રાજ્યભરમાં અષાઢી માહોલ સર્જાયો છે. હવે ભાદરવા પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અંબાજીમાં  ગત વર્ષે કોરોના મહામારીને લઈ ભાદરવી પૂનમનો મહામેળો  મોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને […]

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

પાલનપુર : યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ વચ્ચે યાત્રિકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે, અને મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રિ માટેનું નિમંત્રણ […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હજુ મંજુરી નથી મળી પણ કેટલાક પદયાત્રિઓએ પ્રયાણ શરૂ કરી દીધું

અંબાજી :  સુપ્રસિદ્ધ યાત્રાધામ  શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હોય છે. સાત દિવસના આ મહામેળામાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી મા અંબેના દર્શન કરે છે. નવરાત્રિ   દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. ભક્તો ધજા ઉંચકીને મંદિર સુધી પહોંચતા હોય છે. ગત વર્ષે કોરોનાને કારણે મેળાને મંજુરી આપવામાં […]

યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો ન યોજાય તેવી શક્યતા

પાલનપુરઃ યાત્રાધામ અંબાજીનો ભાદરવી પુનમનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે નહીં યોજાઈ. કોરોનાને લીધે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ભાદરવી પૂનમનો મેળો  તા.13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન અંબાજીમાં યોજાવાનો હતો. જોકે, મેળો યોજાય એવી કોઈ શકયતા જણાતી નથી, અધૂરામાં પૂરું મેળા અંગે સરકાર દ્વારા પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.મહામેળો યોજાશે કે […]

યાત્રાધામ અંબાજીમાં પ્રસાદના વધુ ભાવ લેવાતા તોલમાપના દરોડાઃ ત્રણ વેપારી દંડાયા

અંબાજીઃ  યાત્રાધામ અંબાજીમાં  તોલમાપ વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પ્રસાદના વધારે ભાવ લેતાં ત્રણ વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા ભારે ફફડાટની લાગણી પ્રસરી હતી. જોકે એકાએક હાથ ધરાયેલ કાર્યવાહીને લઈ કેટલાક  વેપારીઓ છૂમંતર થઈ જવા પામ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં આવતા યાત્રિકો સાથે કેટલાક પ્રસાદના વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ અને છેતરપિંડી થતી હોવાની વ્યાપક […]

અંબાજીમાં માતાજીના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા દર્શન

અમદાવાદઃ મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસા થી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંજલિબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code