1. Home
  2. Tag "amdavad"

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો છે અને ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે.હાલ […]

અમદાવાદઃ હાઈકોર્ટની આકરી ટકોર બાદ એએમસીએ રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી

અમદાવાદઃ રખડતા ઢોર મામલે હાઈકોર્ટના ઠપકા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે તેમજ અમદાવાદમાં પણ મનપા તંત્ર દોડતું થઈ ગયું છે. આકરી ટકોર બાદ એએમસીએ રખડતા ઢોર મામલે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ મનપાએ બોડકદેવ સહિતના વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કવાયત શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા વધી છે […]

અમદાવાદઃ કોરોનાની સાથે સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે હવે જીવલેણ મનાતા સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શહેરમાં છ વર્ષ સુધીની વય ધરાવતા 27 બાળક સહિત સ્વાઈન ફલૂનાં કુલ 336 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.સ્વાઈન ફલૂના કેસમાં એકાએક થયેલા વધારાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાં સ્વાઈન ફલૂના દર્દીઓને સારવાર આપવા માટે આઈસોલેશન […]

અમદાવાદઃ વાસણા બેરેજના 26 દરવાજા ખોલીને પાણી છોડાયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીકાંઠાના ગામોને સાબદા કરાયાં છે. દરમિયાન અમદાવાદમાં વાસણા બેરેજના 26 દરવાજા ખોલવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાસણા બેરેજના 26 દરવાજા ખોલાયા છે.  સાબરમતી નદીમાં જળ […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 96 ટકા વરસાદ વરસ્યો

સૌથી વધુ કચ્છ ઝોનમાં 150 ટકા વરસાદ નોંધાયો 24 કલાકમાં દાંતીવાડામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ 6 તાલુકાઓમાં 4 ઈંચ અને 8 તાલુકાઓમાં 3 ઇંચ વરસાદ અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલાં સાર્વત્રિક વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 150 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત દક્ષિણ […]

કાંકરિયા લેકફ્રન્ટઃ લાંબા સમયગાળા બાદ અટલ એક્સપ્રેસ ફરી પાટા પણ દોડતી થઈ

અમદાવાદ: શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં મનોરંજન માટે શરૂ કરવામાં આવેલી અટલ એક્સપ્રેસ લાંબા સમયથી બંધ હાલતમાં હતી. તંત્ર દ્વારા ટ્રેનના ટ્રેક બદલવાની કવાયત કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ હવે 3 વર્ષના લાંબા સમયગાળા બાદ ફરીથી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. લાખોના ખર્ચે અટલ એક્સપ્રેસના પાટા બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. […]

અમદાવાદમાં વરસાદી માહોલઃ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં પણ ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. રાત્રિ અને આજે વહેલી સવારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. અમદાવાદના એલિસબ્રિજ, લાલદરવાજા, આસ્ટોડિયા, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડી, ઘાટલોડિયા, રાણીપ, વાડજ, શ્યામલ ચાર રસ્તા, સરખેજ સહિત તમામ […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ 171 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં સાડા ત્રણ ઇંદ વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં લગભગ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકાથી વધારે વરસાદ […]

ગુજરાતના 33 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં 79 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પોરબંદર, સુત્રાપાડા અને સંતરામપુર, વીજાપુર, કોડીનાર, વડાલી અને કડાણા તાલુકામાં લગભગ […]

અમદાવાદઃ AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી મહત્વની ભેટ

અમદાવાદઃ ભાઈ—બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના તહેવારની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. દરમિયાન શહેરમાં એએમસી સંચાલીત એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની વિશેષ ભેટ આપી છે. આ દિવસે બહેન રૂ.10ની ટીકીટમાં સમગ્ર શહેરમાં એએમટીએસ બસમાં ફરી શકશે. આ અંગે AMTSના ચેરમેનએ જણાવ્યુ હતુ ,કે દર વર્ષેની જેમ આ વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરોને ટિકિટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code