ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ભાવમાં 25 ટકાનો કડાકો, ખેડુતોની હાલત કફોડી
રાજકોટઃ મોંઘવારીને કાબુમાં લેવા તથા ભાવવધારાને રોકવા સામે કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. કાલે સોમવારથી રાજકોટ સહિતના માર્કેટયાર્ડોમાં ડુંગળીના વેપાર બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસબંધી લાગુ કરતા ભાવ એક જ ઝાટકે 25 ટકા જેટલા ઘટી […]