1. Home
  2. Tag "bhavnath"

જુનાગઢના ભવનાથમાં મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટ્યો

જૂનાગઢ,13 ફેબ્રુઆરી 2026:  ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટી પડ્યો હતો. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતોએ ભવનાથ તળેટીમાં ધામા નાખ્યા છે. અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યુ છે.  ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં […]

જુનાગઢનું ભવનાથ હર હર મહાદેવના નાદ સાથે શિવમય બન્યું, કાલે શનિવારે રવાડી નિકળશે

જુનાગઢઃ  ભવનાથ ખાતેના મહા શિવરાત્રીના મેળામાં દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ભવનાથની તળેટીમાં ભજન- ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમો આ પરંપરાગત મેળો મીની કુંભ ગણાય છે. દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો મહંતો થાનાપતિઓ ગાદીપતિઓ મહામંડલેશ્વરો તેમજ જુદા જુદા અખાડાઓના 1008 મહામંડલેશ્વરો, યોગીઓ સહિતના સાધુ સંતો અને નાગા બાવાઓએ ધૂણી ધખાવી બંમ બંમ ભોલેના નાદ […]

જૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે

અમદાવાદઃ ગુજરાતની સંતભૂમિ ગણાતા જૂનાગઢમાં કોરોના મહામાહીને પગલે બે વર્ષથી સુપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજી શકાયો ન હતો. ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર મહાશિવરાત્રિનો મેળો યોજવામાં આવશે. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને મંજૂરી મળતા સાધુ-સંતોની સાથે શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code