1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે
જૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે

જૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતની સંતભૂમિ ગણાતા જૂનાગઢમાં કોરોના મહામાહીને પગલે બે વર્ષથી સુપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજી શકાયો ન હતો. ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર મહાશિવરાત્રિનો મેળો યોજવામાં આવશે. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને મંજૂરી મળતા સાધુ-સંતોની સાથે શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ફરીથી સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યાં છે. બીજી તરફ જૂનાગઢમાં ભવનાથના મહાશિવરાત્રિ મેળો યોજવાની સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે કલેકટરની અધ્યક્ષ સ્થાને સાધુ-સંતા, સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત મહાશિવરાત્રિના મેળાના આયોજનને લઈને વિવિધ સમીતિઓ બનાવવામાં આવશે. મીનીકુંભ તરીકે ઓળખાતા ભાવનાથના મહાશિવરાત્રિનો મેળો યોજવાની મંજૂરી આપવામાં આવતા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષથી ભારત કોરોના સામેની લાંબી લડાઈ લડી રહ્યું છે. તેમજ કોરોના મહામારીને પગલે ભવનાથમાં મહાશિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જો કે, સાધુ-સંતો દ્વારા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, આ વર્ષે ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code