દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાને લીધે આંબાઓ પર આમ્રમંજરી કાળી પડી
નવસારી, 19 જાન્યુઆરી 2026: દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણને લીધે આંબાઓ પર બેઠેલા મોર કાળા પડી રહ્યા છે. તેને લીધે કેસર કેરીના ઉત્પાદનમાં ફટકો પડે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે પણ લાંબા ચોમાસા બાદ હવે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને નવસારીના આંબાવાડીઓ ધરાવતા ખેડૂતોની ઊંઘ હરામ કરી […]


