1. Home
  2. Tag "Ceasefire"

અમેરિકા-ઈરાનના યુદ્ધ વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ, સીઝફાયર પર ચર્ચાનો ઈન્કાર

તહેરીન, 16 માર્ચ 2026: અમેરિકા અને ઈરાને યુદ્ધવિરામ પર વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મધ્ય પૂર્વીય દેશોના મધ્યસ્થતા પ્રસ્તાવને ફગાવી દીધો છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન આત્મસમર્પણ ન કરે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ: સામ-સામે અંધાધૂંધ ફાયરિંગ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધ્યો છે. શુક્રવારની મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને પક્ષો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી […]

IDFએ ગાઝામાં યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી

ઇઝરાયલ સંરક્ષણ દળો-IDF એ ગાઝામાં અનેક હવાઈ હુમલા કર્યા પછી યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, IDF એ જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામ કરારનું પાલન કરશે પરંતુ જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે કડક જવાબ આપશે. અગાઉ, IDF એ કહ્યું હતું કે તેણે ગાઝામાં હમાસ સાથે જોડાયેલા ડઝનેક લક્ષ્યોને […]

સીરિયાઃ બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ લાગુ

સીરિયાના સુવાયદા પ્રાંતમાં એક અઠવાડિયાની સાંપ્રદાયિક હિંસા બાદ ડ્રુઝ લડવૈયાઓ, બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં 800 થી વધુ લોકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાએ 19 જુલાઈએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. 13 જુલાઈએ દમાસ્કસ હાઇવે પર ડ્રુઝ ઉદ્યોગપતિના […]

ઇઝરાયલ અને સીરિયા વચ્ચે યુદ્ધવિરામની અમેરિકી રાજદૂતે કરી જાહેરાત

અમેરિકી રાજદૂતના જણાવ્યા મુજબ, ઇઝરાયલ અને સીરિયા યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સીરિયાના નવા નેતા અહેમદ અલ-શારા યુદ્ધવિરામ માટે સંમત થયા છે જેને જોર્ડન અને તુર્કી દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. રાજદૂત ટોમ બેરાકે સીરિયન લડવૈયાઓને હથિયાર ન ઉઠાવવા અને શાંતિપૂર્ણ ભવિષ્ય તરફ આગળ વધવા વિનંતી કરી છે. ઇઝરાયલે […]

પાકિસ્તાનની વિનંતી પર, ભારત યુદ્ધવિરામ માટે સંમત થયું: લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહ

ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે અગાઉ પાકિસ્તાનમાં 21 આતંકવાદી ઠેકાણાઓની ઓળખ કરી હતી. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી અને ગુપ્તચર માહિતીના આધારે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં 21 આતંકવાદી ઠેકાણાઓ વિશે માહિતી મળી હતી, પરંતુ છેલ્લી ક્ષણે નિર્ણય લેવામાં આવ્યો કે […]

ટ્રમ્પે દાવો કર્યો કે યુદ્ધવિરામ અમલમાં છે; ઇઝરાયલી વિમાનો પાછા ફરશે, તેહરાન પર હુમલો નહીં કરે

ઈરાન અને ઈઝરાયલ દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયાના થોડા સમય પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી માહિતી શેર કરી છે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું – ‘ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે નહીં.’ બધા વિમાનો ઘરે પાછા ફરશે અને ઈરાનને મૈત્રીપૂર્ણ ‘વિમાન લહેર’ આપશે. કોઈને નુકસાન થશે નહીં, યુદ્ધવિરામ અમલમાં છે!’ આના થોડા સમય પછી, […]

ભારત સામે યુદ્ધવિરામ માટે પાકિસ્તાને સૌ પહેલા અમેરિકાનો કર્યો હતો સંપર્ક, પાકિસ્તાનથી થયું ચીન નારાજ

ભારત સાથે ચાર દિવસના સંઘર્ષ બાદ પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી, ત્યારબાદ ભારત પોતાની શરતો પર યુદ્ધવિરામ માટે સંમત થયું. યુદ્ધવિરામ માટે પાકિસ્તાને પહેલા અમેરિકા પાસેથી મદદ માંગી, જેના કારણે ચીન પાકિસ્તાનથી નારાજ થઈ ગયું છે. જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં કાર્યવાહી કરીને ઘણા આતંકવાદી ઠેકાણાઓનો […]

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સહમત થયા

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. તેમજ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવતો હતો. આ ઉપરાંત સરહદ ઉપર સતત ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભારત દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો હતો. દરમિયાન બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ભારત પોતાની શરતોને આધારે યુદ્ધવિરામ […]

સરહદ ઉપર પાકિસ્તાન યુદ્ધવિરામનું સતત કરી રહ્યું છે ઉલ્લંધન, ફરી કર્યો ગોળીબાર

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાના કારણે નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ યથાવત્ છે. અહીં સતત 12મા દિવસે પાકિસ્તાની સૈન્ય ચોકીઓ દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પારથી ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 5-6 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code