1. Home
  2. Tag "Central Government"

ડીપફેક્ મુદ્દે કેન્દ્ર સરકારની લાલઆંખ, ટૂંક સમયમાં આવી શકે છે આકરા નિયમો

નવી દિલ્હીઃ ડીપફેક ટેક્નોલોજીના વધતા ખતરાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કડક પગલાં લઈ શકે છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને પગલાં લેવા અને કડક કાયદો બનાવવા કહ્યું છે. કંપનીઓ આ દિશામાં કામ શરૂ કરી રહી હોવાનું જાણવા મળે છે. ડીપફેક ટેકનોલોજીના વધતા દૂરઉપયોગ સામે પગલા ભરવા માટે માંગણી ઉઠી રહી છે. સોશિયલ […]

કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ,કહ્યું- છત્તીસગઢ સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ

કેન્દ્રએ મહાદેવ સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ મૂક્યો કહ્યું- છત્તીસગઢ સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ દિલ્હી: કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આગેવાની હેઠળ ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ સિન્ડિકેટ સામે ચાલી રહેલી તપાસ વચ્ચે IT મંત્રાલયે આ એપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય […]

મનરેગા યોજના માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું વધારાનું ફંડ જાહેર કર્યું

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ, નાણા મંત્રાલયે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડનું વધારાનું ભંડોળ જાહેર કર્યું છે. આ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીમાં ઘટાડો થયો છે.એક અહેવાલ મુજબ, આ બાબતે માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, NREGAમાં ભંડોળના ખર્ચમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, જરૂરિયાતને […]

કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળીનું વેચાણ કરશે

તહેવારો દરમિયાન કિંમતોને અંકુશમાં રાખવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળીનું વેચાણ કરશે દિલ્હી: તહેવારોની મોસમ દરમિયાન કિંમતોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે નવેમ્બરમાં છૂટક બજારોમાં તેના બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળી છોડવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત શુક્રવારે 100થી વધુ શહેરોમાં ડુંગળી છોડવામાં આવશે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત […]

પૂર્વ ભારતના વિકાસને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,કનેક્ટિવિટી વધારવાનો પ્લાન જાહેર

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશને મોટી ભેટ આપી છે. નીતીન ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્રએ અરુણાચલ પ્રદેશમાં 7 બ્રિજ પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ પુલ 118.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં, પૂર્વ કામેંગ જિલ્લાના લાચાંગ અને ગોઆંગ વિસ્તારોમાં પાચા નદી પર બે કોંક્રિટ પુલ બનાવવામાં આવશે. વધુમાં, NH-313 પર […]

કેન્દ્ર સરકાર પાસે ગુજરાતે 700 કરોડની સહાય માગી, પણ મળી નહીં, વિધાનસભામાં અપાયો જવાબ

અમદાવાદઃ કહેવાય છે ને કે, મોસાળમાં જમણવાર અને મા પીરસનાર હોય તો માગ્યા વિના મળી જતું હોય છે. કેન્દ્ર સરકારમાં વડાપ્રધાનથી લઈને ગુજરાતનું જ વર્ચસ્વ છે. એટલે ગુજરાતને વિશેષ લાભો મળતા રહ્યા છે. પરંતુ ક્યારેક ગુજરાતને માગ્યા પ્રમાણેના લાભો ન પણ મલ્યા હોય એવું પણ બન્યું છે. ગત  જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું […]

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર 3 વર્ષમાં 75 લાખ ગેસ કનેક્શન અપાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2023-24થી વર્ષ 2025-26 સુધીનાં ત્રણ વર્ષમાં 75 લાખ એલપીજી કનેક્શન બહાર પાડવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય)ને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. દરેક કનેક્શન માટે 14.2 કિગ્રા સિંગલ બોટલ કનેક્શનના કનેક્શન દીઠ રૂ.2200, 5 કિગ્રા ડબલ બોટલ કનેક્શનના કનેક્શન દીઠ રૂ.2200 અને 5 કિગ્રા સિંગલ […]

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતઃ મૃતકોના પરિવારજનોને કેન્દ્ર અને ગુજરાત સરકારની સહાયની જાહેરાત

અમદાવાદઃ રાજસ્થાનના ભરપુર પાસે જયપુર નેશનલ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભારે અકસ્માત સર્જોય હતો જેમા 11 લોકોના મોત થયા છે. બસમાં તમામ યાત્રીકો ગુજરાતના ભાવનગરના હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભાવનગરના આ યાત્રિકો બસમાં મથુરા જઈ રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. ગુજરાત સરકારે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરીને […]

ડીઝલ કાર ઉપર 10 ટકા પ્રદુષણ ટેક્સ નાખવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ

નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે ત્રણ નિવેદનો આપવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મંગળવારે દિલ્હીમાં SIAM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી […]

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધ પર કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું

દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધ પર કેન્દ્ર સરકારના વલણ વિશે કહ્યું, “ભારતે શાંતિની અપીલ કરતી વખતે તેના સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ સ્થાને રાખીને યોગ્ય કાર્ય કર્યું છે.” મનમોહન સિંહે G20 બેઠક પહેલા આ વાત કહી હતી, જેના માટે આજે દિલ્હીમાં વિશ્વના નેતાઓ એકઠા થઈ રહ્યા છે. આ સાથે તેમણે વિદેશ નીતિનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code