1. Home
  2. Tag "chotila"

ચોટિલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય જનતા માટે ખૂલ્લુ મુકાયુ

ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય બન્યા બાદ ફાયર એનઓસીના અભાવે બંધ કરાયુ હતુ, 16,000 ચોરસ ફૂટ જમીન પર રૂપિયા 29 કરોડના ખર્ચે સંગ્રહાલયનું નિર્માણ કરાયુ છે, જાહેર જનતા માટે સંગ્રહાલય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય 16000 ચોરસ ફુટ જમીનમાં રૂપિયા 29 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું […]

ચોટિલામાં ચાંમુડા માતાજીના મંદિરમાં બીજા નોરતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી, માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો, નવ દિવસ સુધી માતાજીને વિશેષ શણગાર કરાશે ચોટીલાઃ  સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવ્યા હતા. માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. શ્રદ્ધાળુઓએ આ અદભુત દૃશ્યો […]

ચોટિલામાં કેજરિવાલની સભામાં વરસાદ વિધ્ન બન્યો, વરસાદે AAPનો પ્લાન બગાડ્યો

કેજરિવાર ગુજરાતની મુલાકાતે આવ્યા પણ સભા ન યોજી શકાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાની જાહેરાત, આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે અમદાવાદઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ચોટીલા ખાતે કપાસ પરના આયાત વેરાને હટાવવાના વિરોધમાં આજે રવિવારે આયોજિત કરાયેલી કિસાન મહાપંચાયત છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં […]

ચોટિલામાં સવા બે કરોડના ખર્ચે બનાવેલા એસટી બસ સ્ટેન્ડમાં સુવિધાનો અભાવ

નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડમાં પંખા અને લાઈટ્સની પુરતી સુવિધા નથી પૂછપરછનું કાઉન્ટર પણ બંધ હાલતમાં ચા-નાસ્તાના સ્ટોલ પણ મોટાભાગે બંધ જોવા મળતા હોય છે ચોટીલાઃ યાત્રાધામ ચોટિલામાં તાજેતરમાં જ નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. નવા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ હોવાથી પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમી હોવા છતાંયે પુરતા પંખાઓ પણ […]

ચોટિલામાં રાતના સમયે આકસ્મિક તપાસ કરાતા ખનીજની ચોરી કરીને જતી 5 ટ્રક પકડાઈ

નાયબ કલેક્ટરે ચેકિંગ દરમિયાન 1.20 કરોડના મુદ્દામાલ સહિત 5 ટ્રક જપ્ત કરી ટ્રકચાલકો રોયલ્ટી પાસ વિના ખનીજની હેરાફેરી કરતા હતા, ચેકિંગ ચાલી રહ્યાની જાણ થતાં કેટલાક ટ્રકચાલકો રસ્તા પર રેતી-કપચી ખાલી કરીને નાસી ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી. કલેકટર દ્વારા ખનીજચોરી સામે લાલ આંખ કરવામાં આવી હોવા છતાંયે ખનીજ ચોરી થઈ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા પાસે ટ્રકે પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાફિક ક્લિયર કરવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હાઈ-વે સિક્સ લાઈનનું ગોકળગતિએ ચાલતું કામ કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન આપ્યા વિના કે સાઈન બોર્ડ લગાવ્યા વિના કામ શરૂ કરી દીધું સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.ચોટીલાના જલારામ મંદિર પાસે ટ્રક પલટી મારી જતા રાજકોટ અમદાવાદ હાઈવે […]

ચોટીલાઃ કારતકી પૂનમ નિમિતે ચામુંડા ધામ ખાતે ઉમટી ભીડ

ચોટીલાઃ કાર્તિકી પૂર્ણિમા અને દેવદિવાળીના અવસરે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા ચોટીલા ચામુંડા ધામ ખાતે હૈયેહૈયુ દળાય એવી ભક્તોની ભારે ભીડ જામી હતી. ગુરૂનાનક જયંતિની સરકારી રજા હોવાથી તથા શનિ-રવિ આવતા હોવાથી મીની વેકેશન માણવા માણવા યાત્રાળુઓ ઉમટ્યા હતા. પૂનમ નિમિત્તે ડુંગર ઉપર ચઢવાનો તળેટીનો મુખ્યદ્વાર વહેલી સવારે 2:30 વાગ્યે ખોલી નાખવામાં આવ્યો હતો અને માતાજીની પ્રથમ […]

ચોટિલામાં ચામુંડા માતાજીનાઆરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

2 નવેમ્બરથી 6 ઠ્ઠી નવેમ્બર સુધી ડુંગર પગથિયાના દ્વારા સવારે 4 વાગ્યે ખૂલશે, સવારે આરતીનો સમય 4.30 વાગ્યાનો રહેશે. સંધ્યા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ચોટિલામાં આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર ઉપર માતાજીનાં મંદિરે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ વગેરે તહેવાર નિમિતે ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન […]

ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં બીજા નોરતે શ્રદ્ધાળુઓની ભીડ જામી

માતાજીની ધ્વજા સાથે વાજતે-ગાજતે પદયાત્રિકોના સંઘ પહોંચ્યા, ડૂંગર પરના પગથિયાના દ્વાર પરોઢે 4.30 કલાકે ખોલાશે, ભાવિકોની ભીડ જામતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, સુરેન્દ્રનગરઃ સનાતન ધર્મમાં નવરાત્રિના પર્વનું વિશેષ મહાત્મ્ય છે,  નવરાત્રિ દરમિયાન ભાવિકો માતાજીની ભક્તિમાં લીન બને છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે પણ નવરાત્રિના બીજા નોરતે સવારથી માઈ ભક્તોની ભીડ ઊમટી પડી હતી. […]

ચોટિલામાં ચામુડાં માતાજીના નવરાત્રી દરમિયાન આરતીના સમયમાં ફેરફાર

ચામુડાં માતાજીના નીજ મંદિરના દ્વારા પરોઢે 4.30 કલાકે ખૂલશે, મંદિરમાં સવારે 5 વાગ્યે આરતી થશે. સાંજની આરતી સૂર્યાસ્ત સમયે થશે સુરેન્દ્રનગરઃ મા આદ્યશક્તિની આરાધનાના અવસર એવા નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવતી કાલે ગુરૂવારથી નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ થશે, નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીની પૂજા-અર્ચના અને દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે યાત્રાધામ ચોટિલામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code