1. Home
  2. Tag "Cmo"

રાજ્યના તમામ તાલુકામાં રમત ગમતના 10 મેદાન બનાવાશે

અમદાવાદઃ ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીઓ અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ અધિકારશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.  ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, ગ્રામજનોનો સર્વાંગી વિકાસ થાય એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ગ્રામજનોનું જીવનધોરણ સુધારવા તથા વિકાસ કાર્યોમાં તેમને અસરકારક રીતે સામેલ કરવા માટેની […]

રાજ્યના 207 જળાશયોમાં 53 ટકા જળસંગ્રહ 

ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજન સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જરૂરિયાત જણાશે તો […]

ગુજરાતમાં મહિલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સરકારનો એકશનપ્લાન

અમદાવાદઃ મુખ્યમંત્રીએ FICCI ની મહિલા પાંખ FLO ફિક્કી લેડીઝ વીંગ ઓર્ગેનાઇઝેશનની ઉદ્યોગ સાહસિક મહિલાઓને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કરી તેમની સાથે સહજ સંવાદ-વાર્તાલાપ યોજ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા સાથે નારી સશક્તિકરણ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલા […]

વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકા અને સ્થાન મજબૂત બન્યા: મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઑફ લૉ દ્વારા આયોજિત મોડલ યુનાઇટેડ નેશન્સ 2.0 કૉન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશક્તિને ન્યૂ એજ વોટર નહિ ન્યૂ એજ પાવર બનાવવાની ખેવના રાખી છે. યુવાનોની પ્રતિભા વિકસાવવા માટેના મંચ પૂરા પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યુથ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું […]

‘વિકાસનો વિચાર’ મહત્વપૂર્ણ, તેને સાકાર કરવો એથી પણ વઘુ મહત્વપૂર્ણઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, […]

ઝડપથી બદલાતી ટેકનોલોજીને પગલે આજની શોધ આવતીકાલે જૂન થઈ જશેઃ સીએમ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં આપણો દેશ અને ગુજરાત વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને વિકાસ રાહે દોડતા થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેકનોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આજની શોધ આવતીકાલે […]

રાજ્યની જેલોમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરનાશે, 5જી ટેકનોલોજી આધારિત જામર લગાવાશે

અમદાવાદઃ રાજ્યની વિવિધ જેલોમાં કરવામાં આવેલા મેગા સર્ચમાં કેટલીક જગ્યાએ મોબાઈલ ફોન સહિતની વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જેલમાં કેદીઓની સુરક્ષાને લઈને આગામી દિવસોમાં વિવિધ જેલમાં તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વનું […]

મહેસાણામાં 2 વર્ષમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના હેઠળ 8.15 લાખ લોકોએ લાભ લીધો

અમદાવાદઃ ગુજરાતમાં લોકોએ યોગ્ય આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે મા-અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. દરમિયાન દેશવાસીઓના યોગ્ય આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી. ગુજરાતમાં આ યોજનાને પગલે મા-અમૃતમ યોજના બંધ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પગલા […]

બારડોલીમાં સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

અમદાવાદઃ બારડોલીમાં 11 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાના ચકચારી બનાવમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. અદાલતે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર 20 ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા […]

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે,દરમિયાન આજે સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયાં હતા. અમદાવાદમાં સૌથી વધારે 109 જેટલા કેસ નોંધાયાં હતા. બીજી તરફ એક્ટિવ દર્દીઓનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં 186 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code