પ્રાથમિક શાળાઓમાં રોજ સરસ્વતી વંદનાથી શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવવા શાળા સંચાલકોની માગ
અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને મોટાભાગની ખાનગી શાળાઓમાં રોજ શિક્ષણકાર્યના પ્રારંભ પહેલા પ્રાથના કરવામાં આવતી હોય છે. જો કે ઘણી મોર્ડન ગણાતી શાળાઓમાં વર્ષો જુની પ્રથાનો અમલ કરાતો નથી. આથા તમામ સરકારી અને જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સરસ્વતીજીની મૂર્તિની સ્થાપના કરીને સરસ્વતી વંદના કરાવવા શાળા સંચાલક મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર વખીને માગણી કરી છે. […]