પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજ તૂટી પડવાની ઘટનામાં કોન્ટ્રાકટર સહિત 11 સામે ગુનોં નોંધાયો
પાલનપુરઃ શહેરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ તૂટી પડવાના કારણે બે લોકોના મોત થયા બાદ આ મામલે બ્રિજ બનાવી રહેલી કંપનીના સાત ડિરેકટરો અને એન્જિનિયરો મળી 11 સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી દરમિયાન ગર્ડર નીચે બેરીકેટીંગ અને ટ્રાફિક માર્શલના રાખી ગુનાઈત બેદરકારી દાખવી હોવાના કારણે બે લોકોના મોત થયા […]