1. Home
  2. Tag "COngress"

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આખી સરકાર રિમોટ કન્ટ્રેલથી જ ચાલશેઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ : અમદાવાદ જિલ્લા કોંગ્રેસ  દ્વારા સાણંદ ખાતે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાની  ઉપસ્થિતિમાં સંયોજકની બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પહેલા મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલથી ચાલતા હતા હવે ભુપેન્દ્ર પટેલની  આખી નવી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલશે. ફરી એકવાર અધિકાર રાજનો ભોગ ગુજરાતની જનતા બનશે. […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન, કોંગ્રેસમાં શોકની લાગણી પ્રસરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન તેમનું 80 વર્ષની વયે નિધન કોંગ્રેસમાં શોકની લહેર નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન થયું. તેઓનું 80 વર્ષની વયે નિધન થયું છે. ફર્નાન્ડિસને યોગ કરતી વખતે પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના માથામાં ઇજા થઇ હતી જેના કારણે મગજમાં લોહીની ગાંઠ થઇ […]

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખ જાહેરઃ 3 ઓક્ટોબરે યોજાશે મતદાન

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. તા. 3 ઓક્ટોબરના રોજ મનપાની ચૂંટણી યોજાશે અને તા. 5મી ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એપ્રિલ મહિનામાં આયોજન કરવામાં આવ્યું હતું. […]

વરસાદ ખેંચાતા ઊભો પાક મરઝાઈ રહ્યો છે, સિંચાઈ માટે કેનાલોમાં પાણી અને વીજળી આપોઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની અડધી સીઝન વીતી ગઈ હોવા છતાં ખૂબ જ અપૂરતો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં નહિવત વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોનો ઊભો પાક મુરઝાઈ રહ્યો છે અને જ્યાં પાણી છે, ત્યાં વીજળીને અભાવે સિંચાઈ થઈ શકતી નથી. જેના કારણે ખેડૂતોનું મોંઘા ભાવનું બિયાંરણ નિષ્ફળ ગયું છે અને ખાતર તથા દવાનો ખર્ચ માથે પડ્યો […]

મને નિર્ણય લેતા રોકવામાં આવશે તો ઇંટથી ઇંટ બજાવી નાખીશ: નવજોત સિંહ સિદ્વુ

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્વુનું અક્કડ વલણ જોવા મળી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમને નિર્ણય લેવાની છૂટ નહીં આપવામાં આવે તો તેઓ સહન નહીં કરે અને ઇંટથી ઇંટ વગાડશે. આ દિવસોમાં પંજાબમાં કોંગ્રેસમાં હલચલ ખૂબ જ વધી ગઇ છે. એક તરફ સીએમ અમરિંદર અને સિદ્વુ વચ્ચે ઝઘડો ચાલી […]

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસની આગેવાનીમાં 19 વિપક્ષી નેતાઓએ PM મોદીને હરાવવા મીલાવ્યાં હાથ

દિલ્હીઃ દેશમાં વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં હતા. એટલું જ નહીં 2019ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારના કૃષિ બીલને લઈને ખેડૂતો અને વિપક્ષો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કોંગ્રેસ સહિતની વિપક્ષી […]

રાંઘણ ગેસના સિલિન્ડરમાં 8 મહિનામાં રૂ. 65.50નો ભાવ વધારો ઝીંકાયોઃ કોંગ્રેસ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ તમામ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે સરકારે તહેવારોના ટાણે રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો કરતા કોંગ્રેસે ગેસના સિલિન્ડરના ભાવ વધારોને સખત વિરોધ કર્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ઘરેલુ ગેસ એલપીજીની વપરાશમાં રૂ. […]

કોરોના કાળમાં કામગીરી મુદ્દ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના BJP સરકાર ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આવતાવર્ષે ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા આ ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં લડવાનો નિર્ણય કર્યો છે. તેમજ મતદારો સુધી પહોંચવા માટે જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ કોરોના કાળમાં રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યાં હતા. તેમજ ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની વડાપ્રધાન […]

કોરોના સંકટઃ પંજાબની શાળાઓમાં રોજના 10 હજાર RTPCR ટેસ્ટ કરાશે

દિલ્હીઃ પંજાબમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સ્કૂલમાં ઓફલાઈન અભિયાસ શરૂ કરવામાં આવ્યો છે. જો કે, કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં રોજના 40 હજાર જેટલા ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં […]

ટ્વિટરની કોંગ્રેસ નેતાઓ સામે કાર્યવાહીઃ રાહુલ ગાંઘી બાદ અન્ય 5 નેતાઓના એકાઉન્ટ કર્યા બંધ

ટ્વિટરની  કોંગ્રેસ નેતાઓ સામે મોટી કાર્યવાહી રાહુ બાદ અન્ય નેતાઓના એકાઉન્ટ કર્યા બંધ દિલ્હીઃ- રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવા વચ્ચે કોંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે તેમણે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના એકાઉન્ટ સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code