1. Home
  2. Tag "CORONA"

નવા શૈક્ષણિક વર્ષ પહેલા બાળકોના વાલીઓને કોવિડ રસીથી સુરક્ષિત કરવા જરૂરી, તબીબોનો મત

દિલ્હીઃ દેશમાં વેકસીનેશનમાં હજુ 18 થી 44 વર્ષના વયજુથના લોકોનું વેકસીનેશન પણ પુરી રીતે એકશનમાં આવ્યુ નથી તે સમય બાળકોને આગામી લહેરમાં કઇ રીતે સુરક્ષીત રાખી શકાશે તે પ્રશ્ર્ન ઉભો થયો છે. દેશમાં વેકસીનની જબરી તંગી છે અને જુન માસથી ફરી એક વખત નવુ શૈક્ષણીક વર્ષ શરુ થઇ રહયુ છે તે સમયે કે.જી. થી લઇને […]

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા સિવિલમાં 50 ટકા અને ખાનગી હોસ્પિટલમાં 55 ટકા બેડ ખાલી પડ્યાં

અમદાવાદઃ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યા બાદ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તેથી ડૉક્ટરો તથા પેરા મેડિકલ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 55 ટકા બેડ ખાલી થયાં છે. રાજ્યમાં કોરોનાએ કાલો કહેર વર્તાવ્યો હતો. જેમાં સૌથી વધુ […]

એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે- મનસુખ માંડવિયા

અમરેલી: કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે. એમ્ફોટેરિસીન-Bનો ઉપયોગ મ્યુકોરમાયકોસિસ માટે થાય છે. મંત્રીએ જણાવ્યું  હતું કે ત્રણ દિવસમાં, હાલની 6 કંપનીઓ ઉપરાંત વધુ 5 કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે નવી ડ્રગ અપ્રુવલ આપવામાં આવી છે. હાલની ફાર્મા કંપનીઓએ ઉત્પાદન ઝડપથી શરૂ કરી જ દીધું છે […]

ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઈઝ્ડ પ્રોગેશન અપાશેઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યના યુવા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે નિર્ણય કર્યો છે કે, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે […]

ભારતને અમેરિકા પાસેથી મળી શકે છે 6 કરોડ વેક્સિન, જો બાઈડન સામે બે અમેરિકન નેતાઓએ મુક્યો પ્રસ્તાવ

દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયા વધારે તેજ થાય તે માટે અમેરિકાના નાગરિક અધિકાર કાર્યકર્તા રેવ-જેસી-જેક્શન-સિનિયરએ અમેરિકન કોંગ્રેસના નેતા રાજા કૃષ્ણામૂર્તિ સાથે મુલાકાત કરી. તે બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનને આગ્રહ કર્યો કે ભારતને 6 કરોડ વેક્સિન આપવી જોઈએ. જો બાઈડન સાથે રેવ-જેસી-જેક્શન-સિનિયર […]

કોરોના સંકટઃ ભારતમાં એક જ દિવસમાં 20.61 લાખ લોકોના કોવિડ ટેસ્ટ

દિલ્હીઃ દેશમાં 24 કલાકમાં 20.61 લાખ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ સાથે, ભારતે ફરીવાર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે પરીક્ષણો કરવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. બીજી તરફ, હાલમાં દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 12.59 ટકા થઇ ગયો છે. ભારતમાં સતત આઠમા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સંખ્યા કરતાં નવા […]

રાજકોટ: મ્યુકરમાઈકોસિસ સામે લડવા માટે હોસ્પિટલ બનાવવામાં આવશે

રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન શહેરમાં બનશે મ્યુકરમાઈકોસિસ માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આગમચેતીના પગલા રાજકોટ: દેશમાં કોરોનાવાયરસની બીમારીનો અંત આવ્યો નથી કે તેની સાથે સાથે નવી બીમારી આવી છે જેનું નામ છે મ્યુકરમાઈકોસિસ, આ બીમારીના કેસ દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યા છે અને તેને લઈને તમામ રાજ્યોની સરકાર અને જે તે શહેરના તંત્ર દ્વારા પગલા લેવામાં […]

બજારો ખૂલતા જ હેર કટિંગ સલુનોમાં લાઈનો લાગીઃ બ્યુટી પાર્લરોમાં તો બુકિંગ કરાવવું પડે છે

અમદાવાદઃ શહેર સહિત રાજ્યના 36 શહેરોમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા જેમાં આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાની સરકાર દ્વારા સુચના આપવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તમામ દુકાનો-લારી ગલ્લા ખોલવાની મંજુરી આપતા આજે શુક્રવારથી બજારોમાં  સવારથી જ […]

મધ્યપ્રદેશમાં બહાર નીકળવુ હોય તો ઈ-પાસ જરૂરી, નહી હોય તો થઈ શકે છે જેલ

મધ્યપ્રદેશમાં કોરોનાને લઈને પ્રશાસન કડક બહાર નીકળવા ઈ-પાસ જરૂરી ઈ-પાસ ન હોવા પર થઈ શકે છે જેલ ભોપાલ: મધ્યપ્રદેશમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે હવે વધારે કડક થવા જઈ રહી છે. શિવરાજસિંહ ચૌહાણની સરકાર 22 મે થી નિયમોને વધારે કડક બનાવવાની તૈયારી કરી રહી છે અને ઈ-પાસ સિસ્ટમને લાગુ કરવામાં આવશે. આ પછી કોઈ પણ વ્યક્તિ […]

50% લોકો નથી પહેરતા માસ્ક, સ્વાસ્થ્ય મંત્રાલયના અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્લી: કોરોનાવાયરસને લઈને લોકો કેટલા સતર્ક છે અને કેટલા લોકો નિયમોનું પાલન કરે છે તેને લઈને અનેક પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું છે કે દેશમાં કોરોનાવાયરસના કહેર વચ્ચે પણ 50 ટકા લોકો એવા છે જે માસ્ક પહેરતા નથી. માસ્ક લગાવનાર લોકોને લઈને થયેલા અભ્યાસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code