એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે- મનસુખ માંડવિયા
અમરેલી: કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે. એમ્ફોટેરિસીન-Bનો ઉપયોગ મ્યુકોરમાયકોસિસ માટે થાય છે.
Black Fungus (Mucormycosis) curing drug #AmphotericinB 's shortage will be resolved soon!
Within three days, 5 more Pharma companies have got New Drug Approval for producing it in India, in addition to the existing 6 pharma companies. (1/2) pic.twitter.com/hm9KiZgxr4
— Mansukh Mandaviya (@mansukhmandviya) May 20, 2021
મંત્રીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસમાં, હાલની 6 કંપનીઓ ઉપરાંત વધુ 5 કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે નવી ડ્રગ અપ્રુવલ આપવામાં આવી છે. હાલની ફાર્મા કંપનીઓએ ઉત્પાદન ઝડપથી શરૂ કરી જ દીધું છે એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જાણકારી આપી હતી કે ભારતીય કંપનઓએ એમ્ફોટેરિસીન-Bની 6 લાખ વાયલ્સ આયાત કરવા માટે ઓર્ડર આપી દીધા છે. માંડવિયાએ કહ્યું હતું કે સરકાર આ સ્થિતિને હળવી કરવામાં કોઈ કચાશ નહીં છોડે.