1. Home
  2. Tag "CORONA"

15થી 18 વર્ષના બાળકોનું રસીકરણઃ વડોદરામાં 70 હજાર કિશોરોને રસીથી સુરક્ષિત કરાશે

અમદાવાદાઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવશે. કિશોરોના રસીકરણને લઈને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યાં છે. દરમિયાન વડોદરામાં 70 હજાર કિશોરોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. વડોદરાના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, જિલ્લાની નગર પાલિકાઓ અને ગામોમાં તરુણ રસીકરણની સરળતા […]

કોરોના સામેની લડાઈઃ અફઘાનિસ્તાનને ભારતે કોરોના રસીના ડોઝની મદદ મોકલાવી

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. અફઘાનિસ્તાનની પ્રજા ભુખમરાનો સામનો કરી રહી છે. બીજી તરફ અનેક મુશ્કેલીઓનો સામનો કરતા અફઘાનિસ્તાની પ્રજાની મદદ ભારત આવ્યું છે. ભારત સરકાર દ્વારા કોરોના મહામારીની લડતને વધારે મજબુત બનાવવા માટે કાબુલની હોસ્પિટલને કોરોના રસીનું દાન કર્યું છે. ગરીબી, ભૂખમરો અને બેરોજગારીથી પીડિત અફઘાનિસ્તાનમાં જીવવું […]

રાજકોટમાં કોરોનાના કેસ વધતા મ્યુનિ.એ પાંચ સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરૂ કર્યા

રાજકોટઃ શહેરમાં  કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનને શહેરમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે પાંચ સ્થળોએ ટેસ્ટિંગ બુથ શરૂ કરવાની ફરજ પડી છે. શહેરીજનોને પણ તાવ, ખાંસી, શરદી કે ઉધરસ હોય તો ટેસ્ટિંગ બુથ પર આવીને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાંચ સ્થળોએ ટેસ્ટિંગ […]

મહારાષ્ટ્રઃ કેટલાક મંત્રી અને ધારાસભ્યોને લાગ્યો કોરોના ચેપ, આરોગ્ય વિભાગ દોડતું થયું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોનાના અન્ય વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યું છે […]

સૌરાષ્ટ્રમાં કોરોનાની લહેર રોકવા તડામાર તૈયારીઓ, હવે રાજકોટમાં પણ દોઢ લાખ વિદ્યાર્થીને અપાશે વેક્સિન

રાજકોટમાં 1,51,662 વિધ્યાર્થીઓને અપાશે કોરોનાની વેક્સિન વેક્સિન આપવા વાલીઓ પાસે ભરાવાશે સહમતીપત્રો કોરોનાના સંક્રમણને લઈને લોકોમાં ચિંતા રાજકોટ: સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં કુલ 1 લાખ 51 હજાર 662 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. જિલ્લામાં કુલ 75055 વિદ્યાર્થીઓને અને શહેરમાં 76607 વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જે માટે આરોગ્ય વિભાગ […]

મોરબીમાં 41,750 બાળકોને વેક્સિન આપવામાં આવશે

મોરબીનું તંત્ર છે તૈયાર બાળકોને કોરોનાથી બચાવવાની તૈયારી 40 હજારથી વધારે બાળકોને મળશે વેક્સિન મોરબી: દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનો વિષય બન્યો છે. કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. આવામાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો […]

ગુજરાત કોરોનાનું હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યું છે? રાજ્યમાં એક જ દિવસમાં 654 કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો લોકોની હજુ પણ જોવા મળી રહી છે બેદરકારી એક જ દિવસમાં 654 કેસ અમદાવાદ: દેશના મોટા ભાગના રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્લીમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે તેવામાં ગુજરાત પણ આ રેસમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. વાત છે કે,ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસમાં કોરોનાની સ્થિતિ […]

તો આખરે ગુજરાતીઓએ કોરોનાને આમંત્રણ આપ્યું જ, હજુ પણ વધારે બેદરકારી પડી શકે છે ભારે

આ રીતે વધે ગુજરાતમાં કોરોનાની સ્પીડ જાણીને તમે પણ ચોકીં જશો વધારે બેદરકારી, વધારે કોરોનાવાયરસના કેસ અમદાવાદ: ગુજરાતમાં જે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને તો હવે લાગે છે કે,ગુજરાતીઓ આપણા ગુજરાતમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર લાવીને જ રહેશે. કેટલાક લોકોની બેદરકારી જેમ કે માસ્ક ન પહેરવું, જ્યાં ત્યાં થુંકી દેવુ અને ગાઈડલાઈનનું કોઈપણ પ્રકારે […]

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાંઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં જરૂરી નિયણંત્રો મુકવામાં આવ્યાં છે. જો કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં હોવાનો દાવો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરીને પ્રજાને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. રાજકોટમાં ભુપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. આ ઉપરાંત મેયરના બંગલે ભાજપના નેતાઓ […]

અમદાવાદ જિલ્લામાં કોરોનામાં માતા-પિતા ગુમાવનારા 5 બાળકોને રૂ.10 લાખની સહાય

અમદાવાદઃ  જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા કોરાનાની બિમારીના કારણે માતા-પિતા બંને ગુમાવનારા 18થી નાની વયના 5 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. પીએમ કેર  ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ 5 બાળકોને 10 લાખ રૂપિયાના સહાયની પોસ્ટ એકાઉન્ટની પાસબુક આપવામાં આવી હતી. જિલ્લાના દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમાં રહેતા દંપતી રાજેશભાઇ અને મીનાક્ષીબેનનું જુલાઇ મહિનામાં કોરોનાની બીજી લહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code