સોરાષ્ટ્રના તમામ યાર્ડમાં ટમેટાં-ગુવાર સિવાયના શાકભાજીની આવક વધતા ભાવમાં થયો ઘટાડો
રાજકોટઃ ચોમાસા પહેલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા. મોટાભાગના શાકભાજીના ભાવ પ્રતિકિલોના રૂપિયા 100ને વટાવી ગયા હતા. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જુનના અંત અને જુલાઈના પ્રારંભમાં વરસાદ પડતા તેમજ જે ખેડુતોના વાડી-ખેતરોમાં સિચાઈની સુવિધા છે, એવા ખેડુતોએ શાકભાજીનું આગોતરૂ વાવેતર કરતાં હવે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. તેના લીધે ટામેટાં અને ગુવાર સિવાયના શાકભાજીના […]