આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવેઃ વિજય રૂપાણી
અમદાવાદઃ આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી નેમ વિજય રૂપાણીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021નો શુભારંભ કરતા જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના […]


