રાજકોટમાં મનમંદિર ફ્લેટ્સના ચોથા માળે આગ લાગતા માતા-પૂત્રનાં મોત
રાજકોટ, 26 ફેબ્રુઆરી 2026: શહેરના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર 8માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે ગત મધરાત બાદ આગ ફાટી વિકળતા અફડા-તફડી મચી ગઈ હતી. આગને લીધે ફ્લેટમાં હોલ તેમજ કિચનમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાક થઇ ગઈ હતી. જોતજોતામાં આગએ વિકરાળરૂપ ધારણ કરતા ફલેટના રૂમમાં સુતેલા વૃદ્ધ માતા-પુત્ર ગૂંગળામણના કારણે બેભાન બન્યા હતા. […]


