તળાજા નજીક ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ‘શિવ દર્શન’
સમુદ્રકાંઠે આવેલા ગોપનાથ મંદિરનો પ્રાચિન મંદિરોમાં સમાવેશ થાય છે, શિવભક્ત ચિત્રકાર હસમુખભાઈ પટેલના 251 ચિત્રોના શિવ દર્શનનો કાલે શનિવારથી પ્રારંભ, માત્ર બે કલરનો ઉપયોગ કરીને શિવજીની વિવિધ મુદ્રાઓ અંકિત કરી, ભાવનગરઃ જિલ્લાના તળાજા નજીક સમુદ્રકાંઠે આવેલા અતિ પ્રાચીન ગોપનાથ મહાદેવ મંદિરમાં ત્રણ દિવસ માટે શિવ દર્શનનો પ્રારંભ 31મી ઓગસ્ટ 2024 ને શનિવારના સવારે 10થી થશે. […]