1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં શિયાળાએ કરી જમાવટ, ઠંડાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવ્યાં

નલિયા 6.4 ડિગ્રીએ ઠંડુગાર બન્યું, તા.16મીથી 22મી ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, 23મી ડિસેમ્બરથી તિવ્ર ઠંડીનું મોજુ ફરી વળશે અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી  દીધા છે. રાજ્યમાં કચ્છના નલિયામાં 7.6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. જ્યારે […]

ગુજરાતઃ 21 ડિસેમ્બર સુધી ‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ યોજાશે

અમદાવાદઃ રક્તપિત્ત રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં ‘રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ અમલમાં મૂકાયો છે. આવી સ્થિતિમાં રોગ વિશે જાગૃતિ વધારવા તથા રક્તપિત્ત નિર્મૂલન કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા તા.12 ડિસેમ્બરથી 21 […]

ગુજરાતમાં 25 IPS અધિકારીની સાગમટે બદલીના આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં 25 IPS અધિકારીની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો છે. શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો છે. રાજ્યના 25 IPS અધિકારીની એકસાથે બદલી કરવામાં આવી છે. સોમવારની મોડી રાતે બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા. સિનિયર IPS અધિકારી શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોમાં યથાવત […]

ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ

5 ખાનગી હોસ્પિટલ અને બે ડૉક્ટરને સસ્પેન્ડ કરાયા, પાટણ-2, દાહોદ-1, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલનો સમાવેશ, કૂલ 12 હોસ્પિટલો સામે પગલાં લેવાયા ગાંધીનગરઃ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના […]

ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતાં કડકડતી ઠંડી અનુભવાશે

ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને લીધે લઘુત્તમ તાપમાનમાં થયો ઘટાડો, નલીયામાં સૌથી ઓછું 10,8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની શક્યતા   અમદાવાદઃ શિયાળાનો કારતક મહિનો પૂર્ણ થયાને માગસર મહિનાનું એક સપ્તાહ વિતિ ગયુ છતાંયે બપોરના ટાણે પંખા ચાલુ રાખવા પડે એવી સ્થિતિ હતી. પણ હવે ગઈકાલથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. […]

ગુજરાતઃ MSME ઉદ્યોગ ક્ષેત્રે 21.82 લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે

અમદાવાદઃ છેલ્લા અનેક દાયકાઓથી ભારતમાં ગુજરાતની છબી એક વ્યાપારી રાજ્ય તરીકે ઉભરી આવી છે. જેનું મુખ્ય કારણ ગુજરાત સરકારની ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિ અને યોજનાઓ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા ફ્લેગશીપ કાર્યક્રમોના પરિણામે અનેક મોટા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે, પરંતુ છેલ્લા બે દાયકાથી MSME ક્ષેત્રે પણ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ […]

કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ખેડૂત આઇડી જનરેટ કરવામાં ગુજરાત આગળ

અમદાવાદઃ ભારત સરકારે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર થયેલા ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ની રચનામાં આગળનો માર્ગ દર્શાવવામાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 5 ડિસેમ્બર 2024ના રોજ, રાજ્યમાં લક્ષ્યાંકિત સંખ્યાના 25% ખેડૂતો માટે ખેડૂત આઈડી ઉત્પન્ન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ સફળતા ભારત સરકારની ‘એગ્રી સ્ટેક પહેલ’ના ભાગરૂપે એક વ્યાપક […]

ગુજરાતઃ છેતરપીંડી કેસમાં દેના બેંકના તત્કાલિન બ્રાંચ મેનેજર સહિત 3 આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદઃ સીબીઆઈ કેસના સ્પેશિયલ જજે આરોપી શિશિર કુમાર, તત્કાલીન બ્રાન્ચ મેનેજર, દેના બેંક, સિલ્વાસા અને બાબુ જયેશ સિંહ ગણેશ સિંહ ઠાકુર અને  સુમનભાઈ ભાઈલાલભાઈ શેઠ નામના બે ખાનગી વ્યક્તિઓ મળી ત્રણ આરોપીઓને બેંક છેતરપિંડીના કેસમાં 3.8 લાખ રૂપિયાના દંડની સાથે સખત કેદની સજા ફટકારી હતી. કેસની હકીકત અનુસાર, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2002-2003 […]

ગુજરાતમાં કડકડતી ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં […]

ગુજરાતના ગામડાઓ આજે સમગ્ર દેશમાં આદર્શ ગામ તરીકે ઉભરી રહ્યા છેઃ રાઘવજી પટેલ

ગાંધીનગરઃ ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્શીલેન્સ, ગાંધીનગર ખાતેથી જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ માટેની બે દિવસીય વર્કશોપનો શુભારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ‘આત્મા ગામડાનો સુવિધા શહેરની’ વિભાવનાને સાર્થક કરી ગ્રામ્ય જીવનને વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ વર્કશોપમાં મંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લા DRDA ડાયરેક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code