1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગોહિલવાડ પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

પાક માટે પાણીની જરૂર છે, ત્યારે જ મેઘરાજા રિસાયા, આકાશમાં વાદળો ગોરંભાય છે પણ વરસાદ પડતો નથી, મોલાતને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ભાવનગરઃ લાંબા વિરામ બાદ ગઈ મઘરાતથી મેઘરાજાનું પુનઃ આગમન થયું છે, પણ હજુ ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો નથી. પ્રથમ વરસાદમાં ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ હતું, હાલ મૌલાત ઉગીને બહાર નીકળી […]

રાજકોટમાં જન્માષ્ટમીના 5 દિવસીય મહામેળાને શૌર્યનું સિંદૂર નામ અપાયું

માર્ગ અને મકાન વિભાગ દ્વારા યાંત્રિક રાઇડ્સની ચકાસણી કરાઈ, શૌર્ય સિંદૂર મેળાની ઓળખ અને થીમને વધુ આકર્ષક બનાવશે, લોકમેળામાં 34 જેટલી યાંત્રિક રાઇડને મંજુરી અપાઈ રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વે સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકમેળાઓ યોજાશે. જેમાં સૌથી મોટો ગણાતો રાજકોટના રેસકોર્સ પર યોજાતા 5 દિવસીય મહામેળાને શૌર્યનું સિંદૂર નામ અપાયું […]

વડોદરા શહેરમાં 15મી સપ્ટેમ્બરથી હેલ્મટના કાયદાનું કડકાઈથી પાલન કરાવાશે

વડોદરા પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની જાગૃતિનું અભિયાન શરૂ કરાયું, હેલ્મેટ નહી પહેરનારા વાહન ચાલકો સામે ઝીરો ટોલરન્સથી કાયદાનું પાલન કરાવાશે, પોલીસ દ્વારા હેલ્મેટ માટે સઘન ઝૂંબેશ શરૂ કરાશે વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. મોટાભાગના દ્વીચક્રી વાહનો અકસ્માતમાં રોડ પર પટકાતા માથામાં ઈજા થવાથી મોતને ભેટતા હોય છે. ત્યારે દ્વીચક્રી વાહનચાલકોને સુરક્ષા માટે […]

ડભોઈમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો, 25 લોકોને બચકા ભર્યા, 10ને હોસ્પિટલ ખસેડ્યા

ડભોઈમાં વધતો રખડતા કૂતારાનો ત્રાસ, હડકાયા કૂતરાએ 3 કલાકમાં 25 લોકોને બચકા ભર્યા, નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ડોગ સામે કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ વડોદરાઃ જિલ્લાના ડભોઇ શહેરમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. અને હડકાયા કૂતરાએ માત્ર 3 કલાકમાં 25 જેટલા લોકોને બચકાં ભરતા નાસભાગ મચી હતી. આતંક મચાવનારા હડકાયા કૂતરાના હુમલાનો ભોગ બનેલા 10 […]

સુરતમાં ખાદ્ય ચિજ વસ્તુઓ વેચતી દુકાનો પર ચેકિંગ, દૂધના માવામાં ભેળસેળ પકડાઈ

શહેરના વિવિધ વિસ્તારોમાંથી દૂધના માવાના 22 નમૂના લેવાયા, દૂધના માવાના 10 નમૂનાઓમાં વેજીટેબલ ફેટનું ઊંચું પ્રમાણ, દૂધના માવામાં વેજીટેબલ ફેટની ભેળસેળ જોખમી સુરતઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓની ગુણવત્તા ચકાસણી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મ્યુનિના આરોગ્ય વિભાગે ત્રણ […]

હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-SOPમાં ફેરફાર કરાયો

ઓનલાઇન જોડાનારી વ્યક્તિઓએ હાઇકોર્ટની ગરિમા અને શિષ્ટાચાર મુજબ વર્તવું પડશે, SOPનો ભંગ કરશે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાવા માંગતા તમામ સહભાગીઓ માટે વેઈટિંગ રૂમ રખાશે અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીમાં વર્ચ્યુઅલ મોડથી જોડાતાં એડવોકેટ સહિત તમામ પક્ષકારોએ કોર્ટની ગરીમા અને શિષ્ટાચાર મુજબ વર્તવુ પડશે, આ […]

ગુજરાત યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીન સિન્ડિકેટ સભ્યની કલબને પધરાવી દીધાનો આક્ષેપ

ગુજરાત યુનિ.ની 500 કરોડની જમીનકલબને પધરાવી દીધીઃ  ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સીન્ડીકેટ સભ્યની કલબ પાંચ લાખ થી પંદર લાખ સુધીની મેમ્બરશીપ ફી ઉઘરાવશે, કોંગ્રેસ દ્વારા “ગુજરાત યુનિવર્સિટી બચાવો અભિયાન” શરૂ કરાશે, અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આચરાયેલા 500 કરોડથી વધુના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા જણાવ્યુ છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા […]

ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક ભેંસલા ગામ પાસે ઈકોકારે બાઈકને ટક્કર મારતા ત્રણના મોત

અકસ્માતમાં એક બાળક સહિત મહિલાને ગંભીર ઈજા, અકસ્માત બાદ ઈકોકાર રોડ સાઈડ પરથી ઉતરીને ગરનાળામાં ખાબકી, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી મોડાસાઃ ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ભેંશલા ગામ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે એક બાળક અને એક મહિલાને ગંભીર ઇજા […]

કચ્છ યુનિવર્સિટીમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરીને કરાયેલી ગેરકાયદે નિમણૂંકો રદ

સીધી ભરતી અને બઢતીના રેશીયા અંગેના નિયમોનો ભંગ કરાયો હતો, ઉચ્ચ શિક્ષણની કચેરીને અલગ અલગ રજૂઆતો અને ફરિયાદો મળી હતી, પ્રશ્નપત્ર અને OMR સીટને સલામત રીતે રાખવામાં ગંભીરતા દાખવવામાં આવી નહોતી. ભૂજઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભરતીના મુદ્દે વિવાદ ચાલી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા આસી. રજીસ્ટ્રારની ભરતી પ્રક્રિયામાં નિયમોનો ભંગ અને ગેરરીતિ આચરવામાં […]

ભારતમાલા હાઈવે પ્રજેક્ટમાં ખેડૂતોને પુરતું વળતર ન મળતા રેલી કાઢીને આક્રોશ વ્યક્ત કરાયો

કાંકરેજ, દિયોદર,લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ વળતરની માંગ કરી, ખેડૂતોની 1500 વીઘા જમીન માટે 50 કરોડ, બિલ્ડરોની 70 વીઘા માટે 350 કરોડનું વળતર ખેડૂતોની માગણી નહી સ્વીકારાય તો ગાંધીનગરમાં મોરચો મંડાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થતાં ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પુરતુ વળતર ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code