1. Home
  2. Tag "Honored"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૈનિકોને કીર્તિ અને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષા પદવીદાન સમારોહ 2025ના પ્રથમ તબક્કા દરમિયાન સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસના કર્મચારીઓને ચાર મરણોત્તર સહિત છ કીર્તિ ચક્ર અને સાત મરણોત્તર સહિત 33 શૌર્ય ચક્ર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સની 5મી બટાલિયનના સુબેદાર સંજીવ સિંહ જસરોટિયાને શૌર્ય […]

ઉત્તમ શૈક્ષણિક કાર્યમાં યોગદાન આપનારા શિક્ષકને કરાશે સન્માનિત

અમદાવાદઃ ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શાળામાં શિક્ષણના નવીન પ્રયોગો તેમજ સામાજિક યોગદાન વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા પ્રાથમિક શિક્ષક-મુખ્ય શિક્ષકને વધુ પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે. આ સન્માન આગામી 15મી ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે. એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્યા મુજબ […]

રાષ્ટ્રપતિના હસ્તે મહાનુભાવોને 4 પદ્મ વિભુષણ, 10 પદભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરાયાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત નાગરિક સન્માન સમારોહ-1માં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર-2025માં સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાઉથના સુપર સ્ટાર સાઉથ સુપરસ્ટાર અજિતકુમાર અને નન્દમૂરિ બાલકૃષ્ણને […]

બાર્બાડોસે પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા

નવી દિલ્હીઃ કેરેબિયન દેશ બાર્બાડોસે કોવિડ-19 રોગચાળા દરમિયાન વ્યૂહાત્મક નેતૃત્વ અને મૂલ્યવાન સહાય માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ઑનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ થી સન્માનિત કર્યા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ બાર્બાડોસના બ્રિજટાઉનમાં આયોજિત એક સમારોહમાં વડાપ્રધાન […]

મનુ ભાકર- ડી ગુકેશ સહિત ચાર ખેલાડીને મળ્યા ખેલ રત્ન એવોર્ડ, 34 અર્જુન પુરસ્કાર સમ્માનિત કરાયાં

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને પુરસ્કારો આપ્યા હતા. આ ઉપરાંત, પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને પુરસ્કારો આપવામાં આવ્યા […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ‘વીર બાલ દિવસ’ પર 17 બાળકોને સન્માનિત કરાશે

નવી દિલ્હીઃ વીર બાલ દિવસ પર, બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 17 બાળકોને આ એવોર્ડ આપશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. પીએમ મોદી સુપોષિત પંચાયત યોજનાનું ઉદ્ઘાટન કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન જારી કરીને, કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ માહિતી આપી હતી […]

પ્રધાનમંત્રી કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

નવી દિલ્હીઃ કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો. કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને કુવૈત વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા, કુવૈતમાં ભારતીય સમુદાય અને ભારતના […]

કપિલ શર્માને ‘ગ્લોબલ એન્ટરટેનર ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરાયાં

મુંબઈઃ પ્રખ્યાત કોમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ અને અભિનેતા કપિલ શર્માને ઇન્ડિયન ઑફ ધ યર એવોર્ડ્સ 2024 માં ગ્લોબલ એન્ટરટેનર ઑફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો એવોર્ડ મેળવ્યા બાદ કોમેડી કિંગે કહ્યું કે, 20 વર્ષ પહેલા હું આ જ હોટલમાં એક ગાયક સાથે કોરસ સિંગર તરીકે પરફોર્મ કરવા આવ્યો હતો. આજે 20 વર્ષ […]

માતૃત્વ સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં ભારતના નેતૃત્વનું UNFPએ સન્માન કર્યું

નવી દિલ્હીઃ યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFP)એ માતૃત્વ સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનને આગળ વધારવામાં ભારતની અસાધારણ પ્રગતિને માન્યતા આપી છે. યુએનએફપીએનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નતાલિયા કનમએ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલિલા શ્રીવાસ્તવનું તકતી અને પ્રમાણપત્ર પ્રસ્તુત કરીને સન્માન કર્યું હતું તથા મહિલાઓનાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભારત સાથે ભાગીદારી કરવા માટે યુએનએફપીએની અડગ કટિબદ્ધતા […]

PM મોદીએ મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન આપ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતાની પ્રશંસા કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જેમને તેમની બહુમુખી અભિનય ક્ષમતા માટે પેઢીઓથી વખાણવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી  અશ્વિની વૈષ્ણવના એક્સ મેસેજનો જવાબ આપતા, તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code