હૈદરાબાદઃ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 11 શ્રમજીવીઓ થયાં ભડથું
બેંગ્લોરઃ હૈદરાબાદના ભાઈગુંડામાં ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં 11 શ્રમજીવીઓ ભડથું થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળેથી 11 શ્રમજીવીઓના મૃતદેહ બહાર કાઢ્યાં હતા. મુશીરાબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગની ઘટના લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. સિંકદરાબાદ રેલવે સ્ટેશન નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આઈડીએસ કોલોનીમાં ભંગારનું […]