1. Home
  2. Tag "increased"

માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 0.5 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) નજીવો વધીને 0.5 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 0.2 ટકા હતો. સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને 0.53 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, […]

અમદાવાદના શરદી, ખાંસી, ફીવર અને કોલેરા સહિત વાયરલ કેસમાં થયો વધારો,

અમદાવાદઃ શહેરમાં ઉત્તર-પૂર્વ ઠંડા પવનને લીધે લોકોમાં શરદી, ખાંસી, ફીવર અને કોલેરા સહિત કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી, બહેરામપુરા અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસો પણ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી ઠંડીમાં પણ વધારો થતાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી, વાયરલ ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળે છે. શહેરમાં 17 […]

ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2013-14માં રૂ. 686 કરોડથી વધીને વર્ષ 2022-23માં 16,000 કરોડ થઈ

નવી દિલ્હીઃ ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવાના અધિકારીઓ અને ભારતીય સંરક્ષણ ખાતા સેવાના પ્રોબેશનર્સ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ એવા સમયે તેમની સેવાઓમાં જોડાયા છે જ્યારે દેશ સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે વ્યાપક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. નવી તકનીકોના ઉદભવ સાથે અને નવીનતમ તકનીકો અને […]

સુરતમાં દીપડાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ  પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા. 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર […]

દેશનું સંરક્ષણ ઉત્પાદન પહેલીવાર એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

અત્યાધુનિક નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીનું મુંબઈમાં જલાવતરણ કરાયું યુદ્ધ જહાજના નિર્માણમાં MSIએ મુખ્ય ભૂમિકા ભજવી પ્રોજેક્ટ-17A હેઠળ ભારતીય નૌકાદળનું આ 7મું સ્ટીલ્થ યુદ્ધ જહાજ મુંબઈઃ અત્યાધુનિક નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી આજે મુંબઈમાં જલાવતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ખાસ મહેમાન તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમના પત્ની ડોક્ટર સુદેશ ધનખડ હાજર રહ્યા હતા. સમારોહને સંબોધતા […]

ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન છેલ્લા આઠ વર્ષમાં ક્રમિક રીતે 17% વધ્યું

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિક ઉત્પાદન વધવાની સાથે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. દરમિયાન કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકારને આઈટી હાર્ડવેર પ્રોત્સાહન યોજના હેઠળ દેશમાં લેપટોપ, પીસી અને સર્વર ઉત્પાદન માટે ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો છે. IT હાર્ડવેર માટેની PLI સ્કીમ 2.0 આ વર્ષે મે મહિનામાં […]

જૂનમાં GST રેવન્યુ કલેક્શન વધ્યું,ગયા વર્ષની સરખામણીમાં 12% નો થયો વધારો

જૂન 2023માં રેકોર્ડ GST કલેક્શન 12 ટકાના વધારા સાથે રૂ. 1.61 લાખ કરોડ 1 જુલાઈ 2017 ના રોજ લાગુ કરાયો હતો GST દિલ્હી : જૂન 2023માં રેકોર્ડ GST કલેક્શન થયું છે. નાણા મંત્રાલયે કહ્યું કે જૂન 2023માં કુલ 1,61,497 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. જેમાં ગયા વર્ષના જૂનની સરખામણીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. […]

નૈઋત્યનું ચોમાસું અંદમાન-નિકોબાર ટાપુઓ તરફ વધ્યું, 4 જૂને કેરળમાં ચોમાસુ બેસશે

નવી દિલ્હીઃ નૈઋત્યનું ચોમાસું દક્ષિણપૂર્વ બંગાળનો અખાત, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ અંદમાન સમુદ્ર તરફ તાજેતરમાં આગળ વધ્યું છે અને દેશના કૃષિ અર્થતંત્ર માટે ભારે મહત્વની એવી ચાર માસની ચોમાસાની સીઝનનો તખ્તો રચાઈ ચૂક્યો છે. આગામી તા. 4થી જૂનના રોજ કેરળથી ચોમાસુ ભારતમાં પ્રવેશ કરશે. જ્યારે 15મી જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શકયતા છે. હવામાન […]

ભારતીય રેલવેઃ નૂર આવક એક મહિનામાં 7 ટકા વધીને રૂ. 13,893 કરોડ થઈ

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ એપ્રિલ 2023 માં માસિક 126.46 એમટીનું નૂર લોડિંગ નોંધ્યું છે. એપ્રિલ 2022 ની સરખામણીમાં એપ્રિલ મહિનામાં વધારાનું લોડિંગ 4.25 MT હતું, જેમાં 3.5 ટકાનો વધારો નોંધાયો હતો. 2022માં રૂ. 13,011 કરોડની સરખામણીએ એપ્રિલમાં નૂરની આવક 7 ટકા વધીને રૂ. 13,893 કરોડ થઈ હતી. ભારતીય રેલવેની નૂરની આવકમાં સતત વધારો થઈ રહ્યો […]

દેશમાં માર્ચમાં જીએસટી આવક વધીને થઈ 1.60 લાખ કરોડ

નવી દિલ્હીઃ દેશમાં માર્ચમાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. નાણા મંત્રાલયે એક રિલીઝ જાહેર કરીને આ વિશે જાણકારી આપી છે. માર્ચ 2023 માં ગ્રોસ જીએસટી રેવન્યુ કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાંથી સીજીએસટી 29,546 કરોડ રૂપિયા, એસજીએસટી 37,314 કરોડ રૂપિયા, આઇજીએસટી 82,907 કરોડ રૂપિયા (માલની આયાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code