1. Home
  2. Tag "india"

ઈરાનમાં ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ હાજરી આપશે

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઇરાનની મુલાકાત લેશે. જોકે ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. 23 મેના રોજ ઈરાનમાં તેમની અંતિય યાત્રા યોજવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઈરાન જવા રવાના થશે. ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીના સન્માનમાં સમગ્ર ભારતમાં એક દિવસીય રાજ્ય […]

જ્યારે ભારત વૈશ્વિક મંચ પર બોલે, ત્યારે આખી દુનિયા સાંભળે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ત્રણ લોકસભા મતવિસ્તારો બસ્તી, સંત કબીરનગર અને ડુમરિયાગંજના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં વોટ કરવાની અપીલ કરી હતી. જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારોએ અમારા પર વિશ્વાસ કર્યો છે. તેથી હું તમારો વિશ્વાસ તૂટવા નહીં દઉં. પ્રધાનમંત્રીએપોતાના સંબોધનમાં કોંગ્રેસ અને સપાને અનામત વિરોધી ગણાવ્યા અને પાંચ તબક્કામાં મોદી સરકાર […]

વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતની એકતાએ F 51 ક્લબ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતની એકતા ભયાને વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપમાં મહિલાઓની F51 ક્લબ થ્રો ઈવેન્ટમાં 20.12 મીટરની સિઝનની શ્રેષ્ઠ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં પાંચ મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ સામેલ છે. આ ચેમ્પિયનશિપ 25 મે સુધી ચાલશે. ભારતીય […]

ભારતનું કન્ઝ્યુમર માર્કેટ 2031 સુધીમાં બમણું થઈ જશે: નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, વર્ષ 2031 સુધીમાં ભારતના ગ્રાહક બજારનું કદ બમણું થઈ જશે અને આગામી 5 વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન વધીને 18 ટકા થઈ જશે. નાણામંત્રી બિઝનેસ ચેમ્બર CIIની વાર્ષિક બિઝનેસ સમિટ 2024ને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભારે બહુમતી […]

ભારતમાં સરહદ પારના આતંકવાદ મુદ્દે સહનશીલતા ખુબ ઓછીઃ ડો. જયશંકરની પાકિસ્તાનને ચેતવણી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે પડોશી દેશને તેના પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. CII વાર્ષિક બિઝનેસ સમિટ 2024માં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કોઈપણ પ્રકારની સીમા પાર આતંકવાદી પ્રવૃત્તિ માટે બહુ ઓછી સહનશીલતા ધરાવે છે. જો આવું કંઈ થશે તો […]

ચાબહાર પોર્ટ મામલે અમેરિકાના વલણ અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે શું કહ્યું ? જાણો…

નવી દિલ્હીઃ ચાબહાર પોર્ટ માટે ઈરાન સાથેના કરાર પર અમેરિકાની ટિપ્પણી પર ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, જો અમેરિકા જેવી મહાસત્તાની વિચારસરણી સંકુચિત હશે તો તેની અસર વ્યાપક થઈ શકે છે. ચાબહાર બંદર જેને ગઈકાલ સુધી અમેરિકા ગેમ ચેન્જર ગણાવતું હતું તે અફઘાનિસ્તાન છોડ્યા બાદ તેના માટે કરાયેલા સોદાને લઈને ગુસ્સે થઈ […]

નેધરલેન્ડ: વર્લ્ડ હાઈડ્રોજન સમિટમાં ભારતે પ્રથમ વખત પોતાનું પેવેલિયન સ્થાપ્યું

નવી દિલ્હીઃ નેધરલેન્ડના રોટરડેમમાં 13 – 15 મે, 2024 દરમિયાન આયોજિત વર્લ્ડ હાઈડ્રોજન સમિટ 2024માં ભારતે પ્રથમ વખત પોતાનું પેવેલિયન સ્થાપ્યું છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા સ્થાપિત ઈન્ડિયા પેવેલિયન, ભારત સરકાર, સમિટના સૌથી મોટા પેવેલિયનમાંનું એક છે. 12 મે, 2024ના રોજ નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ શ્રી ભૂપિન્દર એસ. ભલ્લા દ્વારા તેનું […]

કૂટનીતિમાં ભારતનો માસ્ટર સ્ટ્રોક, ઇરાનનું ચાબહાર બંદર 10 વર્ષ માટે લીઝ પર લીધું

ચીન અને પાકિસ્તાનને અશાંત કરવા માટે ભારતે મોટું પગલું ભર્યું છે. હા, ઈરાનનું ચાબહાર બંદર હવે આગામી દસ વર્ષ માટે ભારતનું બની ગયું છે. ભારતે સોમવારે ચાબહાર પોર્ટના સંચાલન માટે ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતનું આ પગલું ન માત્ર દેશને મધ્ય એશિયા સાથે વેપાર વધારવામાં મદદ કરશે, પરંતુ આ પગલું […]

યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટના સત્રમાં ભારતે વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપન પહેલને હાઇલાઇટ કરાઈ

નવી દિલ્હીઃ ભારતે 6 મેથી 10 મે 2024 દરમિયાન ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આયોજિત યુનાઈટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ્સ (UNFF)ના 19મા સત્રમાં ભાગ લીધો હતો. સત્ર દરમિયાન, ભારતે વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપનમાં દેશની નોંધપાત્ર પ્રગતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. જેના કારણે છેલ્લા પંદર વર્ષોમાં વન આવરણમાં સતત વધારો થયો છે. વૈશ્વિક સ્તરે, ભારત 2010 […]

કુસ્તીબાજ નિશા દહિયાએ ભારત માટે પેરિસ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો

નવી દિલ્હીઃ નિશા દહિયાએ તુર્કીના ઈસ્તાંબુલમાં વર્લ્ડ રેસલિંગ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં મહિલા ફ્રીસ્ટાઈલ 68 કિગ્રા વર્ગમાં ભારત માટે પેરિસ ઓલિમ્પિક 2024 ક્વોટા મેળવ્યો હતો. ભારત માટે આ પાંચમો પેરિસ 2024 કુસ્તી ક્વોટા હતો. તમામ મહિલા કુસ્તીબાજો દ્વારા આવ્યા છે. ભારત ગ્રીકો-રોમનમાં ક્વોટા હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું. ઇસ્તંબુલ સ્પર્ધા કુસ્તીબાજો માટે આગામી સમર ગેમ્સ માટે ક્વોટા મેળવવાની છેલ્લી તક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code