પાકિસ્તાનની જેલમાંથી 20 ભારતીય માછીમારોને કરાશે મુક્ત
અમદાવાદઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર માછીમારી કરતા ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરીને લઈ જતી હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન આવતીકાલે પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ લગભગ 20 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ 20 જેટલા માછીમારો 14મી નવેમ્બરના રોજ વાધા બોર્ડર ઉપર પહોંચશે. […]


