પીએમ મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70,000 નિમણૂંક પત્રોનું વિતરણ કરશે
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જૂન, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિઓને પણ સંબોધિત કરશે. રોજગાર મેળો દેશભરમાં 43 સ્થળોએ યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ થયેલા ઉમેદવારો સરકારમાં નાણાકીય સેવાઓના વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ […]