1. Home
  2. Tag "junagadh"

જુનાગઢમાં ગાઢ ધુમ્મસ સર્જાયું, ગરવા ગિરનારે સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો સર્જાયા

જૂનાગઢઃ ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે ઉનાળાના આગમનની ઘડિયો ગણાય રહી છે. સાથે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધૂમ્મસ જોવા મળી રહ્યું છે. જેમાં જુનાગઢમાં આજે શુક્રવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસને લીધે વિઝિબીલીટી પણ ઘટી ગઈ હતી. અને ગરવા ગિરનારે જાણે સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢ શહેર હિલસ્ટેશન બન્યુ હોય તેવા દ્રશ્યો […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ, એસટીની 229 એક્સ્ટ્રા બસો દોડાવાશે

જૂનાગઢઃ શહેરના ભવનાથની તળેટીમાં આગામી તા. 15મીથી 18મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા મહા શિવરાત્રિના મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી. શિવરાત્રિના મેળામાં ગામ-પરગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. વિવિધ આશ્રમો દ્વારા ભાવિકો માટે ઉતારા અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શિવરાત્રિનામેળી […]

જૂનાગઢના પ્રેમપરા અને રામપરા નજીકનો 38.23 હેક્ટર વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કરાશે

જુનાગઢઃ ગીરના જંગલમાં વનરાજોની વસતી વધતા જાય છે. એટલે સિંહ રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. ગીર જંગલ નજીક સરકારી રેવન્યુ લેન્ડને અભ્યારણ્ય જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. જેમાં જુનાગઢ નજીક આવેલા પ્રેમપરા, જાવલડી, રામપરાના 38.23 હેક્ટર વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરવાનો નિર્ણય રાજ્ય સરકાર  દ્વારા ટૂંક સમયમાં લેવાશે.  આ માટે મુખ્યમંત્રી કક્ષાએથી મંજૂરી […]

જુનાગઢમાં ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 4 યુવાનો ડૂબ્યા, એક યુવતી સહિત ત્રણના મોત

 જૂનાગઢઃ મકરસંક્રાંતિનો તહેવારના દિને જુનાગઢના માળિયાહાટિના તાલુકાના ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવા જતા ચાર યુવાનો ડેમમાં પડતા ડૂબ્યા હતા, જેમાં 3 યુવાનોનાં કરૂણ મોત નિપજ્યા હતા. આ બનાવથી ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક […]

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ,જાણો ક્યારથી શરૂ થશે મેળો અને શું હશે ખાસ

જૂનાગઢ, કલેકટર રચિત રાજના માર્ગદર્શનમાં મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.આ સંદર્ભે કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે યાતાયાતની વ્યવસ્થાઓ માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર રચિત રાજે મહાશિવરાત્રીના મેળાનું સુચારૂ આયોજન માટે એક લેખિત આદેશથી ૧૩ સમિતિઓની રચના કરી છે. […]

જુનાગઢમાં 7 વર્ષની બાળકીને દાદાના હાથમાંથી ઝૂંટવીને દીપડો જંગલમાં ખેંચી ગયો

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં દીપડાની વધતી જતી વસતી સાથે રંઝાડ પણ વધી રહી છે. ત્યારે જુનાગઢના સોનારડી ગામે શિકારની શોધમાં આવેલા દીપડાએ દાદાના હાથમાંથી ઝૂંટવીને સાત વર્ષની બાળકીને ગળાથી દબોચીને જંગલમાં ખેંચી જતો હતો. ત્યારે બુમાબુમ થતાં દીપડો બાળકીને છોડીને નાશી ગયો હતો. દીપડાંના હુમલામાં બાળકીનું મોત થયું હતુ.  આ બનાવથી ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. […]

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર પણ ભાજપની જીત , અમરેલી, ઊના, જુનાગઢમાં વિજ્ય

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.  ખાસ કરીને અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો પર એક નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ રીતસરના ધરાશાયી થયો છે. અત્યાર સુધી અમરેલી, ધોરાજી, ઊના, પડધરી, મોરબી સહિતની બેઠકો કોંગ્રેસના ગઢ ગણાતાં હતા અને અહીં કોંગ્રેસના જ ઉમેદવારો જીતતા આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે […]

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

જૂનાગઢની પ્રાચીન ગરબીમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ધૂમે છે

અમદાવાદઃ નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાનો નવરાત્રિની ઉજવણીની તૈયારીઓમાં જોતરાયાં છે. દરમિયાન જૂનાગઢમાં પ્રાચીન ગરબીમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ બાળાઓ પણ ગરબે રમીને માતાજીના આરાધના કરે છે. આ ગરબીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. હાલ બાળાઓને ગરબાની તૈયારી કરાવવામાં આવી રહી છે. નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો […]

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષમાં ૩૦૦૦થી પણ વધુ થાય છે સર્જરી

અમદાવાદઃ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષમાં 3 હજારથી પણ વધુ સર્જરી થાય છે. એક મહિનામાં 250થી વધુ હાડકાના ઓપરેશનો થાય છે. ઓર્થોપેડીક વિભાગના ડો.પાલા સહિતની ટીમ દ્વારા રશિયન પધ્ધતિથી સર્જરીઓ કરવામાં આવે છે. આધુનિક સાધનોથી ગરીબ દર્દીઓના ઓપરેશનો થાય છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાડકાની ઉત્તમ સારવાર અને સર્જરી કરવામાં આવે છે. જેમાં ટૂંકા પગને લાંબા કરવા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code