ગુજરાત કોંગ્રેસ દ્વારા પિડિતોને ન્યાય માટે 1લી ઓગસ્ટથી નીકળશે ન્યાયયાત્રા, રાહુલ ગાંધી જોડાશે
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીના પુલકાંડ, રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાનો બોટકાંડ, સુરતનો તક્ષશીલાકાંડ સહિતના પિડિતોને ન્યાય અપાવવા માટે આગામી તા. 1લી ઓગસ્ટથી 15 દિવસની ન્યાયયાત્રા કાઢવામાં આવશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી જોડાશે સેવાદળના લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે […]